બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ ગયા અઠવાડિયે બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર 13 હુમલાઓ કર્યા હતા. આ જૂથનો દાવો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાની સેના અને સરકાર સાથે સંકળાયેલા ડેથ સ્ક્વોડના 43 સભ્યોને મારી નાખ્યા છે. બીએલએએ શાહબાઝ સરકારને અંતિં ચેતવણી આપી છે.
બીએલએ પ્રવક્તા જિયાંદ બલોચે જણાવ્યું હતું કે બેસિમા, ખારાન, પંજગુર, ચગાઈ, સુરાબ, કિલા અબ્દુલ્લા અને અવારનમાં રસ્તાઓ પર નાકાબંધી અને લક્ષિત હુમલાઓ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે આ વિસ્તારોમાં બે પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હતા.
બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાની સરકાર સામે સંપૂર્ણ પાયે બળવો કરી રહી છે. આ વિરોધ વ્યક્ત કરવા માટે દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. બલૂચે અનેક વખત પાકિસ્તાની સેના પર પણ હુમલો કર્યો છે.
બલૂચ લડવૈયાઓએ છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ પર 13 હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે, જેમાં 43 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. બીએલએ પ્રવક્તાના નિવેદન મુજબ, જૂથે બેસિમા-કાપુક અને ક્વેટા-તફ્તાન વેપાર માર્ગોને કેટલાક કલાકો સુધી અવરોધિત કર્યા હતા જેથી અચાનક તપાસ કરી શકાય અને સૈનિકોની ગતિવિધિને અટકાવી શકાય.
જૂથે દાવો કર્યો હતો કે 13 સપ્ટેમ્બરના રોજ સુલતાન ચરક, કિલા અબ્દુલ્લામાં સરકાર તરફી સ્થાનિક લશ્કર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 25 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, ત્યારબાદ સૈન્ય દળો સાથે ચાર કલાકની અથડામણ થઈ હતી.
જૂથે એવો પણ દાવો કર્યો હતો કે તેની ફતેહ સ્ક્વોડ લાસબેલામાં નવ સૈનિકોને મારી નાખ્યા હતા, જ્યારે અન્ય એક કાર્યવાહીમાં જીવાનીમાં ચાર આર્મી ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા.
સંગઠને જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ આર્થિક નાકાબંધીના ભાગ રૂપે પંજગુરમાં સર્વેલન્સ સાધનોનો નાશ કર્યો હતો અને માચિલમાં લિથિયમ નિષ્કર્ષણ સ્થળ પર મશીનરી બાળી નાખી હતી.
બીએલએએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટપણે પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાની સુરક્ષા દળો આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે ખસી ન જાય ત્યાં સુધી તે પોતાનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખશે. સંગઠને સોમવારે એક વિડિઓ પણ બહાર પાડ્યો હતો જેમાં બલૂચ લડવૈયાઓ ક્વેટા-તફ્તાન હાઇવે પર 14 ચોકીઓ પર કબજો જમાવતા જોવા મળ્યા હતા.