બાંગ્લાદેશે 15 વર્ષ પછી દ્વિપક્ષીય વાટાઘાટોમાં પાકિસ્તાન સાથે ઐતિહાસિક વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા. બંને દેશોના વિદેશ કાર્યાલયો વચ્ચેની આ બેઠક દરમિયાન, બાંગ્લાદેશે 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન તેની સેના દ્વારા બાંગ્લાદેશીઓ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાનના બંગાળી ભાષી લોકો) ના નરસંહાર માટે પાકિસ્તાન પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરી. આ ઉપરાંત, 4.3 અબજ રૂપિયાની બાકી રકમની ચુકવણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં બંને દેશોના વિદેશ સચિવોએ ભાગ લીધો હતો.
બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીને વિદેશ મંત્રાલયમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "પાકિસ્તાન સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધો માટે આ મુદ્દાઓનો ઉકેલ લાવવાની જરૂર છે. અમે ૧૯૭૧ના અત્યાચારો માટે જાહેર માફીની માંગ સાથે પાકિસ્તાન સમક્ષ ૪.૩૨ અબજ ડોલરનો નાણાકીય દાવો પણ રજૂ કર્યો. આમાં ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ છોડી ન શક્યા હોય તેવા ફસાયેલા પાકિસ્તાનીઓની પરત ફરવાની અને ૧૯૭૦ના ચક્રવાત માટે વિદેશી સહાય તરીકે મળેલા નાણાંનો સમાવેશ થાય છે.
વાટાઘાટો દરમિયાન પાકિસ્તાનના પ્રતિભાવ વિશે પૂછવામાં આવતા, બાંગ્લાદેશના વિદેશ સચિવે કહ્યું કે તેમણે આ મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે. આ ચર્ચામાં પાકિસ્તાનના વિદેશ સચિવ આમના બલોચ હાજર હતા. જશીમ ઉદ્દીને એ પણ માહિતી આપી કે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર 27-28 એપ્રિલે બાંગ્લાદેશની મુલાકાત લેશે. 2012 પછી પાકિસ્તાની વિદેશ મંત્રીની આ પહેલી સત્તાવાર મુલાકાત હશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભારતે હસ્તક્ષેપ કર્યા પછી બાંગ્લાદેશને પાક.માંથી આઝાદી મળી
બાંગ્લાદેશે ૧૯૭૧ પહેલાની સંયુક્ત પાકિસ્તાની સંપત્તિમાં ૪.3 અબજ ડોલરનો દાવો કર્યો હતો, જેમાં વિદેશી સહાય, બાકી પ્રોવિડન્ટ ફંડ અને બચત યોજનાઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 1971 માં, બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન) પાકિસ્તાનથી અલગ થયા પછી એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં ભારે અત્યાચારો કર્યા હતા. લાખો લોકો માર્યા ગયા અને સ્ત્રીઓ પર બળાત્કાર થયો. પછી ભારતે હસ્તક્ષેપ કર્યો અને ભારતીય સેનાએ પાકિસ્તાની સેના સાથે યુદ્ધ કર્યું અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech