પોરબંદરના દરિયા કિનારે આવેલા અસ્માવતી ઘાટ ખાતે સફાઈ અભિયાનનું આયોજન થતાં વિશ્ર્વ મહાસાગર દિવસની ઉજવણીના ભાગપે થયેલા આ આયોજનમાં ૬૫૦ કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો તથા પ્લાસ્ટિકથી સમુદ્રના જીવને થતા નુકસાન વિશે પણ સમજ આપવામાં આવી હતી.
વિશ્ર્વ મહાસાગર દિવસ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત પોરબંદરના દરિયાકાંઠે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઇન્ડિયાના ગુજરાત ઇન્ચાર્જ ધવલ જુંગીના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરાયુ હતુ.
પોરબંદરના દરિયાકાંઠે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તેમજ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઇન્ડિયા ગુજરાત તથા પોરબંદરના ફાઇબર ગ્રુપના સયુંકત ઉપક્રમે ઓશન સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી વિશ્વ મહાસાગર દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી. આ તકે કાર્યક્રમના આયોજક વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઇન્ડિયાના ગુજરાત ઇન્ચાર્જ ધવલ જુંગી દ્વારા વિશ્ર્વ મહાસાગર દિવસનું મહત્વ સમજાવી કાર્યક્રમની શઆત કરવામાં આવી હતી.
વિશ્ર્વ મહાસાગર દિવસે નિમિતે દર વર્ષે ઓશન સોસાયટી ઓફ ઈન્ડિયા તથા વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં આ પ્રકારના પર્યાવરણને લગતા કાર્યકમો હાથ ધરવામાં આવે છે ત્યારે આ વખતે પણ પોરબંદરના અસ્માવતી બીચ કાંઠે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ,
જેમાં માછીમારો અને વિધાર્થીઓ સહિત ૪૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત અસ્માવતી બીચ કાંઠે થી અંદાજે ૬૫૦ કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો જેમાં પ્લાસ્ટિક, થર્મોકોલ, ફિશીંગ નેટ, ફાઇબર તથા કપડાનો સમાવેશ થાય છે.જેમાં પ્લાસ્ટિક અને થર્મોકોલનો કચરો મુખ્ય હતો.
અંતે આ અભિયાનના પરિણામને લઈને ફાઇબર ગ્રુપની સમગ્ર ટીમ સહિત માછીમારો પોતાના મહાસાગર સાથે જોડાયેલી આજીવિકાને ટકાવી રાખવા દરિયાને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે કટિબદ્ધ થયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઇન્ડિયા ગુજરાતના સમગ્ર સ્ટાફ તથા ફાઇબર ગ્રુપના પ્રમુખ હિતેષભાઇ સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech