કાળું મીઠું ભોજનનો સ્વાદ વધારે છે. ફળ હોય કે ફ્રુટ ચાટ, કાળું મીઠું દરેક વાનગીને મસાલેદાર અને સ્વાદમાં અલગ બનાવે છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો છે અને તેમાં સોડિયમનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે.
તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજો પણ હોય છે, જે પાચનમાં સુધારો કરવામાં, ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં અને શ્વસન સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તે પિત્તનું ઉત્પાદન સક્રિય કરે છે, હ્રદયમાં થતી બળતરાને દૂર કરે છે અને પેટનું ફૂલવું જેવી સમસ્યા પણ દૂર કરે છે. કાળા મીઠાના આવા ઘણા ફાયદા છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કાળા મીઠામાં રેગ્યુલર સફેદ મીઠાની સરખામણીમાં ખૂબ ઓછું સોડિયમ હોય છે. આનાથી પાણી જમા થતું નથી અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી. તો લો સોડિયમવાળા ડાયટને ફોલો કરતા હોય અને વજન ઘટાડવા માંગો છો તો સફેદ મીઠાને બદલે કાળું મીઠું એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
બ્લડ સુગર નિયંત્રિત કરો
ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે કાળું મીઠું ખાવું ખૂબ જ ફાયદાકારક છે. મર્યાદિત માત્રામાં કાળું મીઠું ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ સંતુલિત થાય છે અને બહારથી ઇન્સ્યુલિન લેવાની જરૂરિયાત ઓછી થાય છે.
એસિડિટીના એસિડ રિફ્લક્સનો ઈલાજ કરે
કાળું મીઠું તેના ક્ષારયુક્ત ગુણધર્મો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટમાં હાજર વધારાના એસિડનું પ્રમાણ ઘટાડે છે. કાળા મીઠામાં રહેલા ખનિજો એસિડ રિફ્લક્સના લક્ષણો ઘટાડે છે.
સ્નાયુઓમાં થતા તાણ અથવા ખેંચાણને ઘટાડે છે
કાળા મીઠામાં પોટેશિયમ જોવા મળે છે, જે સ્નાયુઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આ રીતે તે સ્નાયુઓમાં કોઈપણ પ્રકારનો તાણ અથવા ખેંચાણ ઘટાડે છે.
પાચનમાં મદદ કરે છે
આંતરડાના યોગ્ય કાર્ય માટે કાળું મીઠું પણ ખૂબ ફાયદાકારક છે. તે પાચનમાં મદદ કરે છે અને ગેસ ઘટાડે છે. જ્યારે કાળા મીઠાને લીંબુ અને આદુ સાથે ખાવામાં આવે છે, ત્યારે તે કબજિયાત માટે અસરકારક ઈલાજ બની જાય છે. આ આંતરડાને નરમ બનાવે છે.
ત્વચા માટે ફાયદાકારક
કાળા મીઠામાં ક્રોમિયમ જોવા મળે છે, જે ખીલ સામે લડે છે. તેમાં રહેલું સલ્ફર ત્વચાને સ્વચ્છ અને નરમ બનાવે છે. તેના સેવનથી ફોલ્લીઓની સમસ્યા પણ દૂર થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech