સ્ટેમ સેલ થેરાપી દ્રારા અંધત્વની સારવારમાં પ્રથમ વખત જાપાનના સંશોધકોએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. સંશોધકોએ લિમ્બલ સ્ટેમ સેલની ઉણપથી પીડિત દર્દીઓની ધ્ષ્ટ્રિ પાછી મેળવવામાં સફળતા મેળવી છે. આ એક ગંભીર સ્થિતિ છે અને તેના કારણે આંખોની દ્રષ્ટ્રિ ક્ષમતા પર પ્રતિકૂળ અસર થાય છે. અંધત્વની સારવારમાં આને અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
લિમ્બલ સ્ટેમ સેલ ડેફિસિયન્સીએ આંખનો રોગ છે જેમાં કોર્નિયા (આંખનો પારદર્શક બાહ્ય ભાગ) યોગ્ય રીતે કામ કરતું નથી. જેના કારણે આંખના ચોક્કસ ભાગમાં જોવા મળતા સ્ટેમ સેલ્સ, જેને લિમ્બસ કહેવાય છે, તે ઘટી જાય છે અથવા સંપૂર્ણ રીતે નાશ પામે છે. લિમ્બલ સ્ટેમ સેલ આંખના લિમ્બસ ભાગમાં હોય છે અને તેઓ કોર્નિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સ્ટેમ સેલ કોર્નિયાના નવા કોષો બનાવે છે અને જૂના અને ક્ષતિગ્રસ્ત કોષોને બદલે છે.
પરંતુ યારે આ સ્ટેમ સેલ ઈજા, ચેપ, કેમિકલ બર્ન અથવા આનુવંશિક કારણોસર નાશ પામે છે, ત્યારે કોર્નિયા નવા કોષો મેળવવામાં અસમર્થ હોય છે. જેના કારણે કોર્નિયાને નુકસાન થાય છે, જેમ કે કોર્નિયાને નુકસાન થવાથી દ્રષ્ટ્રિ ધૂંધળી રહે છે, સતત દુખાવો થાય છે અને જો રોગ ગંભીર બની જાય અને તેની સારવાર ન કરવામાં આવે તો આંખોની રોશની સંપૂર્ણપણે જતી રહે છે.
ઓસાકા યુનિવર્સિટીના આંખના નિષ્ણાત કોહજી નિશિદા અને તેમની ટીમે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રેરિત પ્લુરીપોટન્ટ સ્ટેમ કોષોનો ઉપયોગ કર્યેા હતો. તેઓએ તંદુરસ્ત દાતા પાસેથી રકત કોશિકાઓ લીધા, તેમને ગર્ભ જેવી સ્થિતિમાં પાંતરિત કર્યા, અને પછી કોર્નિયલ ઉપકલા કોષોને પારદર્શક પાતળી ચાદરમાં પાંતરિત કર્યા. સંશોધકોએ આ સારવાર માટે ૪૦ થી ૭૦ વર્ષની વયની બે મહિલાઓ અને બે પુષોની પસંદગી કરી હતી. જેમની બંને આંખોમાં એલએસસીડી હતી.
ટ્રાન્સપ્લાન્ટના બે વર્ષ પછી, એવું નોંધવામાં આવ્યું હતું કે કોઈ દર્દીને કોઈ આડઅસર થઈ નથી. આ કલમોમાં ન તો ગાંઠો બની હતી, જેને આઈપીએસ કોષો માટે જોખમ માનવામાં આવે છે, ન તો દર્દીઓની રોગપ્રતિકારક શકિત આ કોષો પર હત્પમલો કરે છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ ચારેય દર્દીઓની દ્રષ્ટ્રિ સુધરી છે.
આ સુધારો ત્રણ દર્દીઓમાં કાયમી હતો, યારે એક વર્ષ દરમિયાન એક દર્દીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર, તે સ્પષ્ટ્ર નથી કે આંખોની દ્રષ્ટ્રિની ક્ષમતા કેવી રીતે સુધરી. કોહજી નિશિદા અને તેમની ટીમ આ સારવારની અસરકારકતાનો અંદાજ કાઢવા માટે કિલનિકલ ટ્રાયલ શ કરવાની યોજના બનાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech