રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા આજ તા. ૧૭/૦૪/૨૦૨૫થી તા.૧૯/૦૪/૨૦૨૫ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે.
મંત્રી તા.૧૭/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે તાલુકા પંચાયત કચેરી ખંભાળિયા ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે જ એટીવીટી કાર્યક્રમ અન્વયે તાલુકા કાર્યવાહક સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રી શ્રી ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક તથા એટીવીટી કાર્યક્રમ અન્વયે તાલુકા કાર્યવાહક સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
મંત્રી તા.૧૮/૦૪/૨૦૨૫ના રોજ જિલ્લાના સામાજિક પ્રસંગેમાં ઉપસ્થિત રહેશે. તેમજ મંત્રી શ્રી તા. ૧૯/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૯.૩૦ કલાકે કલેકટર કચેરી ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રી શ્રી પોલીસ અધિક્ષકની કચેરી, ખંભાળિયા ખાતે જાહેર હિતના પ્રશ્નો અંગે સૂઝાવો માટે સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ કલેકટર કચેરી ખાતે જ જિલ્લા નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ બેઠક અને જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech