બનાવ અંગે રૈયારોડ રામેશ્વર પાર્ક ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા ધાર્મિક રાજેનભાઈ બલદેવ (ઉ.વ.૨૬) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે યશોધનસિંહ જેઠવાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે નિર્મળા મેઈન રોડ સોનાલી રેસ્ટોરન્ટની સામે ક્રશ એન્ડ ક્રેવ નામની કેફે ચલાવે છે.
તા. ૨૫/૫ ના રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ તે કેફે પર હતો ત્યારે યશોધનસિંહ જેઠવાને કોઈ સ્વિગીવાળા સાથે સામાન્ય અકસ્માત થતા ઝઘડો કરતો હોય જેથી ફરિયાદીનો ભાઈ જય તેને છુટા પાડવા ગયો હતો બાદ તેના ભાઈ સાથે પણ આ યશોધનસિંહે બોલાચાલી ઝઘડો કર્યો હતો.બાદ બંન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતુ અને તેના નામ નંબર જેતે વખતે તેની પાસેથી લીધા હતા. થોડીવારમા ફરી વખત આ યશોધનસિંહ જેઠવા અહીં કાફે પર આવી ધમકી આપી હતી કે તને જોઈ લઈશ, તારા ટાંટીયા ભાંગી નાખીશ, પણ આ બાબતે કોઈ ફરીયાદ કરી ન હતી.
ગઈ તા.૨૭/૦૫ના રાત્રીના યુવાન ફેકે પર હતો તે સમયે યશોધનસિંહ જેઠવા અહીં આવી દુકાનના કાચના દરવાજાને કોઈ લાકડા વડે તોડી 30 હજારનું નુકશાન કરી ત્યાથી ભાગીને જતો રહ્યો હતો.જેથી અંતે કેફે સંચાલકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech