હાલારમાં ચૈત્રી દનૈયા તપ્યા: તાપમાન 38 ડીગ્રી નજીક

  • April 29, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે સાંજે 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત: તા.4થી 6મે  દરમ્યાન કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી



જામનગરમાં છેલ્લા અઠવાડીયાથી સુર્યદેવતા નરમ પડયા હતાં, પરંતુ ગઇકાલે ફરીથી કાળઝાળ ગરમી શ થઇ છે અને તાપમાન 38 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. એટલું જ નહીં 50 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 40 થી 42 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 37.5 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને રાહત થઇ હતી, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 4 થી 6 મે દરમ્યાન જામનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડશે તેથી લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  દોઢ ડીગ્રી ઘટી 37.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 25.8 ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા અને પવનની ગતિ 45 થી 50 કિ.મી. પ્રતિકલાક રહી હતી.


જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 41 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે.

હવામાન ખાતાએ ફરીથી ચૂંટણી દરમ્યાન જ હીટવેવની આગાહી કરી છે, મતદાન તા.7 મેના રોજ થનાર છે પરંતુ એ પહેલા ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તંત્ર વાહકોને સચેત રહેવા જામનગરના કલેકટર તથા દ્વારકાના કલેકટર સહિતના અધિકારીઓએ માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application