ફક્ત બહેનો કરે છે, માતાજીની સ્તુતિ તથા ગરબા...
સલાયા લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સલાયા લોહાણા મહાજન વાડીમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી માતાજીની આરતી, સ્તુતિ અને ગરબા કરે છે, સલાયા નવરાત્રી મહોત્સવ સમિતિ તેમજ વીરબાઇ માં મહિલા મંડળ દ્વારા આ આયોજન સફળ કરવા જહેમત ઉઠાવાય છે.
આસો મહિનામાં નવરાત્રી દરેક જગ્યાએ મનાવાય છે. પરંતુ ચૈત્રી નવરાત્રી રાસ ગરબા સાથે સલાયામાં જ મનાવાય છે. આ વખતે પણ તા. 30 માર્ચથી તા. 6 એપ્રિલ સુધી સલાયા લોહાણા મહાજન વાડીમાં આ ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવશે. જેમાં મહિલાઓ રાસ ગરબા રમી માતાજીની સ્તુતિ કરી ધર્મ લાભ લેશે. આ ગરબાનો તેમજ માતાજીની સ્તુતિનો લાભ લેવા બહેનોને ભાવ ભરેલું નિમંત્રણ અપાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech