BREAKING NEWS

ઓખા ખાતે સૌરાષ્ટ્ર્ર મેલ અને નાથદ્રારાની ટ્રેનોના આગમન સમયમાં ફેરફાર

  • August 18, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંચાલન સંબંધિત (ઓપરેશનલ) કારણોસર ઓખા સ્ટેશને આવતી સૌરાષ્ટ્ર્ર મેલ અને નાથદ્રારાની ટ્રેનોના આગમન સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાએ જણાવ્યા મુજબ: ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર્ર મેલનો ઓખા સ્ટેશને વર્તમાન આગમન સમય ૧૪:૨૦ વાગ્યાનો છે, જેને ૩૦ મિનિટ વધારીને ૧૪:૫૦ વાગ્યાનો કરવામાં આવ્યો છે.
આ સુધારેલો સમય તત્કાલ અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્રારા ઓખા એકસપ્રેસનો ઓખા સ્ટેશને વર્તમાન આગમન સમય ૧૮:૫૦ વાગ્યાનો છે, જેને ૨૦ મિનિટ વધારીને ૧૯:૧૦ વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ સુધારેલો સમય ૨૦ ઓગસ્ટ ૨૦૨૬થી નાથદ્રારાથી ઉપડતી ટ્રેન પર લાગુ થશે.
નોંધનીય છે કે બંને ટ્રેનોના સમયમાં ફેરફાર માત્ર ઓખા સ્ટેશને તેમના આગમન માટે જ કરવામાં આવ્યો છે. ઓખા સ્ટેશન સિવાય અન્ય કોઈ પણ સ્ટેશને આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application