રાજકોટ શહેરમાં સર્જાયેલા એટલાન્ટિસ અગ્નિકાંડમાં ત્રણના મોત નીપજ્યા બાદ ફાયર બ્રિગેડએ સમગ્ર શહેરના તમામ હાઇરાઈઝ બિલ્ડિંગમાં ચેકિંગ શરૂ કર્યું છે પરંતુ તેની વિગતો જાહેર કરવામાં આવતી ન હતી. દરમ્યાન આજે એકાએક મહાપાલિકા તંત્રને સુરાતન ચડ્યું હોય તેમ સત્તાવાર વિગતો જાહેર કરી છે જેમાં 180 માં ચેકિંગ કરાયું છે અને 144 બિલ્ડિંગને ફાયર એનઓસી મામલે નોટિસ ફટકારી હોવાનું જાહેર કર્યું છે પરંતુ એક પણ બિલ્ડીંગનું નામ જાહેર કર્યું નથી.
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરએ આજ રોજ સત્તાવાર જાહેર કરેલી વિગતોમાં જણાવ્યું છે કે, વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવે છે જેમાં તા.૧૭-૩-૨૦૨૫ અને તા.૧૮-૩-૨૦૨૫ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ફાયર એન.ઓ.સી. બાબતે કુલ ૧૮૦ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૧૪૪ સંકુલોને અપૂર્તી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થાનો અભાવ હોય તેવા એકમોને ફાયર નોટીસ આપવામા આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ ટીમો મારફતે તા.૧૭-૦૩-૨૦૨૫ અને તા.૧૮-૦૩-૨૦૨૫ દરમ્યાન કુલ ૧૮૦ એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના સ્ટાફ દ્વારા રેસીડેન્સીયલ બિલ્ડીગ, રેસીડેન્સીયલ સાથે કોમર્સીયલ બિલ્ડીગ હોય તેવી રાજકોટ શહેર વિસ્તારની કુલ ૧૮૦ બિલ્ડીગની ફાયર એનઓસી બાબત સ્થળ તપાસ કરી અને અપૂર્તી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થા વગર કાર્યરત બિલ્ડીગોને નોટીસ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech