ભાવનગર અને બોટાદ જિલ્લામાં આભ ફાટ્યું, ગઢડામાં 13.9 ઈંચ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર જળબંબાકાર

  • June 17, 2025 09:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર અને બોટાદ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ગઢડામાં 13.9 ઈંચ, પાલીતાણામાં 11.9 ઈંચ, સિહોરમાં 11.6 ઈંચ, બોટાદમાં 11 ઈંચ, જેસરમાં 10.7 ઈંચ, ઉમરાળામાં 10.4 ઈંચ, સાવરકુંડલામાં 10 ઈંચ, મહુવામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.


પાલિતાણા-જેસર-સિહોરમાં 11 ઈંચ 

ગઈકાલે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અમદાવાદ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ગ્રામ્ય પંથકમાં નદીઓ ગાંડીતૂર બની હતી. મહુવાનું તલગાજરડા સંપર્કવિહોણું બન્યું હતું. ગામમાં કેડ સમા પાણી ભરાયાં હતા. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાલિતાણા-જેસર-સિહોરમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.


અમરેલીમાં ભારે વરસાદ પડતાં ઠેબી ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેને લઇ નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.


ધાતરવડી નદીમાં ફસાયેલા 5 લોકોને બચાવ્યા

ધાતરવડી ડેમનું પાણી નદીમાં આવી જતા 5 લોકો ફસાયા હતા. જેથી રાજુલા પોલીસની ટીમને જાણ થતાં જ પાલિકાની ટીમ સાથે મળી ધસમસતા પાણીના પ્રવાહમાથી દોરડા બાંધી તમામને બચાવ્યાં હતા.​​​​​​​

અમદાવાદમાં કરંટ લાગતા એકનું મોત

અમદાવાદ શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં ઘી કાંટા નજીક પોળ પાસે 20 વર્ષીય યુવકને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રીક પોલનો કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું છે. ઈલેક્ટ્રીક પોલનો વાયર ખુલ્લો હોવાના કારણે પાણીમાં યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની વીજ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application