લાખોટા તળાવમાં આવતી કેનાલમાં પ્રદુશિત પ્રવાહી ભળી જવાના કારણે લોકો અને જળચર પ્રાણીઓના જીવ પર જોખમ
જામનગરના રણજીત સાગર રોડ પરથી લાખોટા તળાવમાં આવતી પાણીની કેનાલ કે જેમાં ઉદ્યોગ ગ્રહો દ્વારા પ્રદૂષણયુક્ત પ્રવાહી છોડવામાં આવે છે, જેના કારણે તળાવમાં આવતી કેનાલનું પાણી પ્રદૂષિત બની જાય છે. આથી લોકો તેમજ જળચર પ્રાણીઓના આરોગ્ય સાથે જોખમ તોડાઈ રહ્યું છે. જે મામલે જામનગર મહાનગરપાલિકાના તંત્ર તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાકીદે યોગ્ય કરવા માંગ ઉઠી છે.
રણજીત સાગર રોડ પરથી આવતી પાણીની કેનાલ, કે જેમાં દરેડ આસપાસના કેટલાક ઉદ્યોગો દ્વારા પોતાના કારખાનાઓમાંથી કેમિકલ યુક્ત પાણી કેનાલમાં ઠાલવી દેવામાં આવે છે. જેના કારણે કેનાલ અત્યંત પ્રદૂષિત બની છે, અને તેમાં કેમિકલ પ્રવાહીના ફીણ જોવા મળી રહ્યા છે.
ઉપરોક્ત કેનાલ કે જે છેક દરેડ થી જામનગર સુધી આવે છે, જેમાં પાણી ભરેલા રહેતા હોવાથી આસપાસના સમગ્ર વિસ્તારની સોસાયટીઓના પાણીના તળ સાજા રહેતા હોય છે, પરંતુ તેમાં કેમિકલ ભળી જતું હોવાથી પાણી અત્યંત પ્રદૂષિત બન્યું છે, અને લોકોના આરોગ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે.
સાથો સાથ આ કેમિકલ યુક્ત પાણી લાખોટા તળાવમાં પ્રવેશે છે, જેના કારણે તાજેતરમાં જ કેટલાક જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા, જેનું પણ મુખ્ય કારણ આ જ હોઈ શકે છે. જેથી જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાકીદે યોગ્ય કરવા અને કારખાના ના સંચાલકો સામે ત્વરિત કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech