BREAKING NEWS

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાની ૬૬ ગ્રામ પંચાયતોના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરાયું

  • February 02, 2026 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર અને જોડીયામાં રૂ. ૧૦૭૦ લાખના વિકાસ કામોનું આયોજન

​જામનગર તા.૦૨ ફેબ્રુઆરી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ-૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા ૧૧૪ ગામોમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જામનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું આયોજન હર્ષદપુર મુકામે ટુ-વે કનેક્ટિવિટીના માધ્યમથી યોજાયું હતું. જે અંતર્ગત જામનગર જિલ્લાની કુલ ૬૬ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.



આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી અને નગરપાલિકામાં ન ભળેલ હોય તેવી ગ્રામ પંચાયતોમાં શહેર જેવી સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે, જામનગર જિલ્લાની લાલપુર અને જોડીયા ગ્રામ પંચાયતના કુલ રૂ. ૧૦૭૦ લાખના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યા છે.


​હર્ષદપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વી.આર.માંકડીયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા પંચાયત સભ્ય જગદીશભાઈ સાંગાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને મહામંત્રી દિલીપભાઈ ભોજાણી ઉપસ્થિત રહ્યા હતા.



​આ ઉપરાંત ઉપપ્રમુખ નાથાભાઈ વાસકીયા, રામજીભાઈ પરમાર, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, ભાનુબેન જેપાલ, ભનુભાઈ ચૌહાણ, કાનજીભાઈ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, શૈલેષ સાવલિયા, હર્ષદપુરના સરપંચ મુકેશભાઈ તથા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ભંડેરી સહિતના મહાનુભાવોની હાજરીમાં આ વિકાસ કાર્યોનો પ્રારંભ થયો હતો. 


આ પ્રસંગે ધારાસભ્ય રાધવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામડું એ ભારતનો આત્મા છે અને પંચાયત ઘર જેવી પાયાની સુવિધાઓથી ગ્રામીણ વિકાસ વધુ સુદ્રઢ બનશે. હર્ષદપુર સિવાય અન્ય તાલુકા મથકો પર પણ ૬૫ જેટલા ગ્રામ પંચાયત ઘરોનું ખાતમુહૂર્ત કરીને ગ્રામ્ય ઉત્થાનની આ પહેલને વેગ આપવામાં આવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application