આવતીકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બનવાના છે, રાત્રી રોકાણ કરવાના છે અને સંભવીત રોડ-શો પણ યોજવાનોે છે ત્યારે છેલ્લા ૪ દિવસથી ઉંધા માથે થયેલા આખે આખા તંત્ર દ્વારા સુરક્ષાથી લઇને સફાઇ પર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે, રોડ રસ્તાઓની એવી તો કાયા પલટ થઇ ગઇ છે અને પીએમનો જે રુટ છે તે એટલો ચોખ્ખો ચણાંક છે કે ખરેખર જામનગર પેરીસ બની ગયું હોય એવી પ્રતીતી થાય છે, જો કે જગ જાહેર છે કે માત્ર વડાપ્રધાનના રુટ પર જ આ તમામ વ્યવસ્થાઓ કરાઇ છે અને એમના પરત ગયા બાદ સ્થીતી જૈસે થે થઇ જવાની છે, જુની અને જાણીતી વાત છે કે ચલે ગયે થાનેદાર અબ ડર કાહે કા... એ મુજબ ફરી રસ્તાઓ પર કચરાના ઢગલા, દબાણ, ટ્રાફિક સમસ્યા સર્જાઇ જશે, કાશ વડાપ્રધાન આ અહેવાલ વાંચે તો ખરેખર મજા આવી જાય કે માત્ર એમના રુટ પર જ મહાનગરપાલીકાનું આખે આખું તંત્ર કામે લાગ્યું, પોલીસ તંત્રએ સુરક્ષા ગોઠવી અને વહિવટી તંત્રએ બધી જે વ્યવસ્થા કરી છે તે ખરેખર વાસ્તવમાં કામચલાઉ છે, જો કે વડાપ્રધાન આવતા હોવાથી આ બધું થવું જોઇએ તે આવકારદાયક છે જ પરંતુ એમના પરત ગયા બાદ પણ આવી જ સાફ સફાઇ રહે, કોઇ દબાણ ન હોય, કયાંય ટ્રાફિક ન હોય તો ખરેખર વાસ્તવમાં રામ રાજય ગણી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech