પશ્ચિમ બંગાળના જારગન વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા - જામનગર હાઈવે પર ટોલ ગેઈટ વિસ્તારમાં રહેતો ચંદનગીરી સમરેસગીરી નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી અહીંના ધરમપુર-દાતા ટોલ પ્લાઝામાં આવેલા કંટ્રોલ રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો.
આ શખ્સ દ્વારા થોડા દિવસો પૂર્વે પોતે જે ઓફિસમાં બેસતો હતો તે ઓફિસના ટેબલના ખાનામાં રહેલી ટોલ પ્લાઝા કંપનીની કુલ રૂપિયા ૮૫,૦૦૦ ની રોકડ રકમ ચોરી કરીને નાસી છૂટ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે ટોલ પ્લાઝાના મેનેજર પ્રતાપ શંકરરાવ ભૈયટે (ઉ.વ. ૫૬, રહે. મૂળ ખારગર, પનવેલ) ને ફરિયાદ પરથી કર્મચારી ચંદનગીરી સામે આઈ.પી.સી. કલમ ૩૮૧ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech