કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ આજે દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કારણકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં આનો વિરોધ કરી રહી છે.
પાર્ટીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર રાજકીય વિરોધીઓને દબાવવા માટે ઇડીનો દુરુપયોગ કરી રહી છે. આ સંદર્ભમાં, કોંગ્રેસ પાર્ટી રાજ્ય મુખ્યાલયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીઓ સામે અને સંબંધિત રાજ્યોમાં જિલ્લા સ્તરે કેન્દ્ર સરકારની કચેરીઓ સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આયોજન કરી રહી છે. આ પછી, પરિસ્થિતિ જોઈને પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને ઘણા લોકોને કસ્ટડીમાં લીધા.
ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ દાખલ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગઈકાલે કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ ધાકધમકીનો આશરો લઈ રહ્યા છે.
આ કેસની સુનાવણી 25 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે ઇડી પાસેથી આ મામલાની કેસ ડાયરી પણ માંગી છે. 2012 માં, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે સોનિયા, રાહુલ અને તેમની સહયોગી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ, તપાસ દરમિયાન, ટાંચમાં લેવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડીએ દિલ્હી, લખનૌ અને મુંબઈમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ જારી કરી હતી.
હવે કેન્દ્ર વિરુદ્ધ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પાર્ટીના સાંસદ ઇમરાન પ્રતાપગઢીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, જે એજન્સી દ્વારા લડાઈ કોર્ટમાં લઈ જવામાં આવી છે તેનો ઈરાદો ફક્ત વિપક્ષને હેરાન કરવાનો છે. આ સત્ર ગુજરાતમાં થાય છે, રાહુલ ગાંધી મોડાસા પહોંચે છે અને અહીં ચાર્જશીટ દાખલ થાય છે.
કેન્દ્ર વિરુદ્ધ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટનું એક નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ રાજકીય રીતે પ્રેરિત કેસ છે. અમને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે. અમે આની સામે કાનૂની લડાઈ લડીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech