પોરબંદર શહેરના અસ્માવતી રીવરફ્રન્ટ સામે રહેણાંક વિસ્તારની તદ્ન નજીક ખાડીકાંઠે મહાકાય મગર નજરે ચડતા લોકોમાં ભય જોવા મળ્યો હતો એ જ રીતે નજીકના અડવાણા ગામે ધ્રોકડ ડેમમાં પણ મગર પાળી ઉપર પહોંચી ગયો હોવાથી લોકોને ત્યાંથી દૂર રહેવા અપીલ થઇ છે.
પોરબંદરમાં મગર
પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ નજીક છેલ્લા ચાર મહિનાથી અવારનવાર મગર બહાર નીકળે છે અને વચ્ચેની પાળી ઉપર મહિલાઓ કપડા ધોતી હોય છે ત્યાં પણ અવારનવાર આ મગર બેસી જાય છે. હવે તેણે સ્થળાંતર કર્યુ હોય તેમ ત્યાંથી આગળ જઇને સામા કાંઠે નરસંગ ટેકરી નજીક ખાડીકાંઠે અને હુડકો સોસાયટીના આગળના ભાગે રહેણાંક વિસ્તાર પાસે જ આ મગર ઉપર ચડી આવ્યો હતો. અહીંયા રહેણાંક વિસ્તાર છે અને બાળકો પણ નજીકમાં રમતા હોય છે તેથી ખાડીકાંઠે કોઇ અનિચ્છનીય ઘટના બને નહી તે માટે પોરબંદરના વનવિભાગે આ મગરને તાત્કાલિક પકડી પાડવો જોઇએ. ભૂતકાળમાં પણ અનેકવખત આ મુદ્ે વનવિભાગનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ પણ હજુ સુધી કર્લીપુલની ખાડીથી માંડીને છાયા રઘુવંશી સોસાયટી પાછળના ખાડી વિસ્તારમાં આંટાફેરા કરતો મગર પકડાયો નથી. કોઇનો જીવ લે તે પહેલા તેને પકડીને બરડા ડુંગરના સલામત સ્થળે છોડી મૂકવા માટે વનવિભાગે કાર્યવાહી કરવી જરી બની છે.
અડવાણામાં મગર
પોરબંદરના અડવાણા ગામે આવેલા ધ્રોકડ ડેમમાં પણ મગર ડેમની પાળી સુધી પહોંચી ગયો હતો અને એ બાબતે પણ લોકોનું ધ્યાન જતા સોશ્યલ મીડિયાના માધ્યમથી સાવચેત કરીને ગ્રામજનો અને વાડીવિસ્તારના લોકોને હાથપગ ધોવા માટે ડેમની નજીક નહી જવા જાગૃત ગ્રામજનોએ અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech