શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ-જામનગર ખાતે તા. 22 ઑગસ્ટના રોજ સરકારના 'જ્ઞાન કુંજ' પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત અધ્યતન કમ્પ્યૂટર લેબનો વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
અધ્યક્ષસ્થાને શ્રી વિદ્યોતેજક મંડળના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સહમંત્રી હસમુખભાઇ શાહ તથા ડૉ.સંજય દતાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહેમાનોને આવકારીને આચાર્ય કેતનભાઇ વાછાણીએ આધુનિક સમયમાં શિક્ષણમાં કમ્પ્યૂટરમાં મહત્વ સમજાવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં અરવિંદભાઈએ "કમ્પ્યૂટર આજના બાળકોને ભવિષ્યના ઘડતરમાં ઘણું લાભદાયક છે" એ મતલબની વાત કરી હતી. સહમંત્રી પણ "કોમ્પ્યુટર શિક્ષણ આજના સમયની માંગ" અંગે વિદ્યાર્થી ઓને સમજ આપી. તથા મહેમાનો તથા વિદ્યાર્થી ઓના હસ્તે કમ્પ્યૂટર લેબને વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન કિરીટ ગોસ્વામીએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech