દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઇ
શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓને સન્માનિત કરાઇ
ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે - સુશાસન દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સભાખંડ, જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે કલેકટર જી.ટી.પંડ્યાએ કર્મયોગનાં સિદ્ધાંતો સમજાવતા કહ્યું હતું કે, કર્મયોગ એ આપણને દૈનિક કામમાંથી પુણ્યકર્મ કમાવવાની તક આપે છે. સુશાસન ટીમ વર્કથી આવી શકે છે. કર્મયોગનાં સિદ્ધાંતો અપનાવવાથી આપણે ખૂબ કાર્યક્ષમ બની શકીએ. અને કુશળતા પૂર્વક કરવામાં આવેલા કામથી નાગરિકો પણ સંતોષની લાગણી અનુભવે છે.
આ તકે જિલ્લા કક્ષાની કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી માટે મામલતદાર કચેરી, ખંભાળિયા અને તાલુકા પંચાયત કચેરી, ખંભાળિયાને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech