રાજય સરકારે થોડા સમય પહેલા તમામ જિલ્લાના પ્રભારી સચિવની નિમણૂક કરી હતી. પરંતુ આમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવની અગાઉ કરાયેલી નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે સિંગલ ઓર્ડરથી આ ફેરફાર કર્યો છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડોક્ટર જયશંકર ઓધવાણીએ આ સંદર્ભે કરેલા હુકમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ. એ. પંડ્યાની જગ્યાએ 2004 ની બેચના રાજેન્દર કુમારની નિમણૂક કરી છે.
સરકારે કરેલા હુકમમાં નવા જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દર કુમારને દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા વિકાસશીલ તાલુકા પ્રભારી પણ બનાવ્યા છે.
આવા જ અન્ય એક હુકમમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ સેક્રેટરી અશોક દવે એ ભાવનગર જિલ્લા કલેકટરનો વધારાનો ચાર્જ રિજનલ મ્યુનિસિપલ કમિશનર ડી.એમ સોલંકીને સોપ્યો છે. જ્યાં સુધી નવો હુકમ ન થાય ત્યાં સુધી ડી.એમ.સોલંકી ભાવનગર જિલ્લા કલેકટર તરીકે જવાબદારી સભાળશે. ભાવનગરના જિલ્લા કલેકટર આર.કે મહેતા નિવૃત્ત થયા હોવાથી આ ફેરફાર કરાયો છે.
ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનરની જગ્યા પણ ખાલી હતી અને તેનો ચાર્જ ભાવનગરના કલેક્ટર પાસે હતો. પરંતુ હવે આર. કે. મહેતા નિવૃત્ત થતા હોવાથી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ 2019ની બેચના આઈએએસ અધિકારી ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીને સોંપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech