ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરામાં ધાર્મિક કાર્યક્રમો
જોડિયા તાલુકાના ભાદરા - ગુણાતીતાગર બાપ્સ શ્રી સ્વામિનારાયણ મંદિર ( શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ) ખાતે તા, ૧૬ મીના શરદપૂર્ણિમાના રોજ શ્રી ગુણાતીતાનંદસ્વામીના જન્મદિવસ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ભકિતભાવ પૂર્વક અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાયેલ હતા શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન હોય એમના જન્મદિવસ નિમિતે સવારે ૫ : ૩૦ વાગ્યે મંગળા આરતી તથા સવારે ૭ :૦૦ ક્લાકે ભવ્ય શણગાર આરતી સંતો દ્વારા કરવામાં આવેલ હતું.ત્યારબાદ સવારે ૯ : ૩૦ થી બપોરે ૧૨ : ૦૦ સુધી શ્રી ગુણાતીતાનંદ જન્મોત્સવની ભવ્ય સત્સંગસભા યોજાયેલ હતી જેમાં બાપ્સ સંસ્થાના વિદ્વાન વક્તા પ.પૂજ્ય જનમંગલ સ્વામી ખાસ ઉપસ્થિત રહીનેં સત્સંગ કથાનો લાભ આપેલ હતો તૅમજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે શ્રી ગુણાતીતાનંદ જન્મસ્થાનમાં મહાઆરતી કરવામાં આવેલ હતી
આ દીવ્ય અવસરે શ્રી ઠાકોરજી સમક્ષ તૅમજ જન્મસ્થાનમાં ભવ્ય અન્નકોટ ધરાવવામાં આવેલ હતો ત્યારબાદ મહોત્સવમાં પધારેલ સૌ હરી ભક્તજનોએં બહોળી સંખ્યામાં મહાપ્રસાદ લીધેલ હતો અત્રે એં ઉલ્લેખનીય છૅ કે ભાદરા ગુણાતીતાગરમાં ગુણાતીતાનંદ સ્વામીનો જન્મસ્થાન હોય આ જગ્યામાં બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપશ્રી પ્રમુખ સ્વામી મહારાજ અવાર નવાર દર્શનાથે પધારતા અને સત્સંગનો દર્શનનો લાભ આપતા હતા ગઈકાલે ગુણાતીતાનંદ જન્મસ્થાન ખાતે સમગ્ર કાર્યક્રમ કોઠારી સ્વામી ધર્મકુંવર સ્વામી તથા કપિલેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ ભવ્યતાથી ભવ્ય રીતે યોજાયેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech