ઉનાળાની ઋતુમાં લગભગ દરેક વ્યક્તિને દહીં ખાવાનું ગમે છે. દહીંનું સેવન માત્ર સ્વાદ માટે જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. બજારમાંથી ખરીદેલું દહીં મોંઘુ હોય છે અને ઘણી વખત એ પણ ખબર નથી હોતી કે બજારમાંથી ખરીદેલું દહીં તાજું છે કે નહીં.
આવી સ્થિતિમાં, ઘરે દહીં બનાવવું એ એક સારો વિકલ્પ બની શકે છે પરંતુ ક્યારેક જો દહીં યોગ્ય રીતે જામે નહી અથવા તો ઉનાળાને કારણે એ ખાટુ થઇ જવાની શક્યતા રહે છે છે. એટલે પહેલા તો મહેનત વ્યર્થ અને બીજું દહીંનો સ્વાદ પણ બગડે. એટલે પહેલા દહીં સેટ જમાવવાની સાચી રીત જાણી લેવી જોઈએ.
હંમેશા તાજા દૂધમાંથી દહીં બનાવો
લગભગ દરેક વ્યક્તિ એક ભૂલ કરે છે કે તેઓ દૂધ યોગ્ય રીતે પસંદ કરતા નથી. જો તાજા દૂધને બદલે એક દિવસના વાસી દૂધનો ઉપયોગ કરીને દહીં બનાવશો, તો દહીં ચોક્કસ ખાટુ થઈ જશે.
તેથી, સારું દહીં બનાવવા માટે, દૂધ તાજું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૂધને સારી રીતે ઉકાળો અને પછી તેને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડું ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ દહીં બનાવવા માટે કરો. ધ્યાનમાં રાખો કે ખૂબ ઠંડા દૂધમાંથી દહીં બનતું નથી.
દહીં જમાવવા માટે દહીંનો કરો ઉપયોગ
દહીં સેટ કરવા માટે, થોડું દહીં વાપરો પરંતુ ધ્યાનમાં રાખો કે જે દહીં જમા કરવા માટે વાપરી રહ્યા છો તે સંપૂર્ણપણે તાજુ હોવું જોઈએ. તાજું દહીં બનાવવા માટે દૂધમાં સ્ટાર્ટર કલ્ચર ઉમેરો. જો સ્ટાર્ટર કલ્ચર પહેલેથી જ ખાટું હોય તો ધ્યાનમાં રાખો કે નવું દહીં પણ ખાટું હશે. તેથી, દૂધમાં ઉમેરવામાં આવતું દહીં પણ સંપૂર્ણપણે તાજું હોવું જોઈએ.
દહીં જમાવીને પછી ફ્રિજમાં રાખો
ઉનાળાની ઋતુમાં દહીં ઝડપથી જામી જાય છે પણ તે ખૂબ જ ઝડપથી ખાટુ પણ થઈ જાય છે. દહીંને એવી જગ્યાએ રાખો જ્યાં તાપમાન સ્થિર રહે. રસોડાના ઠંડા ખૂણાની જેમ કે કોઈ એવી જગ્યા જ્યાં ગરમીની વધુ અસર ન હોય. સામાન્ય રીતે દહીંને સેટ થવામાં 6 થી 8 કલાક લાગે છે. જ્યારે દહીં જામી જાય ત્યારે તેને ફ્રિજમાં રાખો. કારણ કે દહીંને ફ્રીજમાં રાખવાથી દહીં ખાટુ થતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech