વિજયભાઇનો પાર્થિવ દેહ એરપોર્ટ પર પહોંચતા ભાવવાહી દ્રશ્યો સર્જાયાં

  • June 16, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મૃતદેહ આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યો હતો અને એરપોર્ટ ઉપર ઉતરતાની સાથે જ ભાવવાહી દ્રશ્યો સર્જાયાં હતા. આ વેળાએ અમદાવાદથી ફ્લાઇટમાં વિજયભાઇનો પુત્ર ઋષભ, પુત્રી રાધિકા, ધર્મપત્ની અંજલિબેન ઉપરાંત ભંડેરી અને ભારદ્વાજ તેમજ પરિવારના અન્ય સભ્યો પણ રાજકોટ પહોંચ્યા હતા.

આજે સવારે ૧૧ કલાકે તેઓ ગાંધીનગર નિવાસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા અને ૧૧-૩૦ કલાકે ત્યાંથી પાર્થિવ દેહનો સ્વીકાર કર્યો હતો. જ્યારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાનમાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ૧૨-૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ આવવા માટે રવાના થયા હતા. જ્યારે બપોરે બે કલાકે હીરાસર એરપોર્ટ ઉતર્યા હતા અને બપોરે ૨-૩૦ કલાકે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

લોકલાડીલા નેતાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે ગ્રીનલેન્ડ ચોકડી થી છેક તેમના નિવાસ્થાન સુધી ઠેર ઠેર લોકોએ લાઈનો લગાવી દીધી હતી વિજયભાઈ ના આકસ્મિક અવસાનથી રાજકોટ શહેર શોકમાં ગરકાવ થઈ ગયું છે. રાજકોટમાં આબાલવૃદ્ધ સહિત સૌ કોઇએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News