બોલિવૂડના મેગાસ્ટાર અને ચાહકોના પ્રિય સુપરસ્ટાર અમિતાભબચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, ચિંતાનું કોઈ કારણ નથી. તેઓ નિયમિત ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. તેઓ બિલકુલ સ્વસ્ય છે. અમિતાભએક એવા અભિનેતા છે જે પાંચ દાયકાથી વધુ સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન માત્ર તેમની ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરતા નથી, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. તેઓ દરરોજ તેમના એકાઉન્ટ પર પોસ્ટ શેર કરે છે અને તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. ચાહકો તેમની પોસ્ટ્સ પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા પણ આપે છે. બિગ બી ઘણીવાર એવી રીતે પોસ્ટ કરે છે કે લોકો મૂંઝવણમાં મુકાય છે કે તેઓ સંદર્ભમાં શું લખી રહ્યા છે. અમિતાભ બચ્ચન ફકત સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે, પરંતુ તેઓ લગભગ દર રવિવારે તેમના ઘર, જલસાની બહાર પણ તેમને મળે છે. આ રવિવારે, ૧૭ મેના રોજ, તેઓ
જલસાની બહાર પણ દેખાયા. તેમણે
ચાહકોને હાવ હલાવ્યો. જલસાની બહાર
ચાહકોની વિશાળ ભીડ જોવા મળી હતી,
જેઓ તેમની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા.
તેમના ૫૭ વર્ષના કરિયરમાં, અમિતાભ બચ્ચને લાખો હૃદયમાં એક ખાસ સ્વાન બનાવ્યું છે. તેમણે ૧૯૧૯ માં ફિલ્મ “સાત હિન્દુસ્તાની" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી, તેમણે ૨૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેને વ્યાપક પ્રશંસા મળી છે. અમિતાભ ૮૩ વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application