એક રાષ્ટ્ર, એક ચૂંટણી પ્રસ્તાવ પર ચર્ચા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે # યોજવાથી દેશને ૭ લાખ કરોડની બચત થઈ શકે છે, અને આ બચેલા નાણાંનો ઉપયોગ વિકાસ કાર્ય માટે થઈ શકે છે. ચૌધરીએ ગુજરાતના મુખ્ય સચિવને આ પ્રસ્તાવ અંગે તમામ વિભાગો તરફવી મળેલા સૂચનોનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. લોકસભા અને રાજ્ય વિધાનસભાની → ચૂંટણીઓ એકસાથે પોજવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહેલી સંયુક્ત સંસદીય
સમિતિ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી છે સમિતિના સભ્યોએ પહેલા દિવસે, સમિતિએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અમલદારો, મુખ્ય સચિવ એમકે દાસ, શાસક ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠકો યોજી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા, જેપીસીના અધ્યક્ષ અને ભાજપના સાંસદ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અધિકારીઓએ આ અંગે તેમને વિગતવાર રજૂઆત કરી હતી, જેમાં અગાઉ ધ્યાનમાં ન લેવાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, અમે તેમને એક વ્યાપક અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ચૂંટણી પૂર્ણ થયાના ૧૦૦ દિવસમાં પંચાયતો, પાલિકાઓની ચૂંટણી યોજી લેવી જોઈએ
જેપીસી અધ્યક્ષએ કહ્યું, સમિતિએ આશરે ૧૮,૦૦૦ પાનાનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો, જેને સરકારે સ્વીકારી લીધો છે. રિપોર્ટમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એકસાથે ચૂંટણીઓ કરાવવાની ભલામણ પણ શામેલ છે. ચૌધરીએ જણાવ્યું હતું કે ભલામણો અનુસાર, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ, જયારે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સંસદીય અને વિધાનસભા ચૂંટણીઓના ૧૦૦ દિવસની અંદર પૂર્ણ થવી જોઈએ. ચૌધરીએ કહ્યું, આ સુધારા વારંવાર ચૂંટણીઓની જરૂરિયાતને દૂર કરશે અને સરકારોને શાસન, વિકાસ, ગરીબી નિવારણ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને એકંદર રાષ્ટ્રીય પ્રગતિ માટે વધુ સમય અને સંસાધનો ફાળવવાની મંજૂરી આપશે.તેમણે સમજાવ્યું કે સમિતિએ ગુજરાત પહોંચતા પહેલા મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને કર્ણાટકની મુલાકાત લીધી હતી.અમારો પ્રયાસ દરેકને સાંભળવાનો અને બધા દ્રષ્ટિકોણ ધ્યાનમાં લેવાનો છે. જયારે અમે સંસદમાં અમારી ભલામણો રજૂ કરીએ છીએ, ત્યારે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે તમામ હિસ્સેઘરો વચ્ચે વ્યાપક સર્વસંમતિ હોય.