ભારતના ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં સૌથી મોટા કુંભમેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં આ કુંભમેળાનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના પૌરાણિક એવા શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવિણગીરી ગોસ્વામી તેમજ વાંઝા દરજી સમાજના અગ્રણી મૂળ સલાયાના અને હાલ લંડન રહેતા કિશોરભાઈ ગોહેલ અને તુલસીગીરી ગોસ્વામીએ કુંભમેળા માટે પ્રયાગરાજ જવા ભગવાન શિવને શીશ ઝુકાવીને પ્રસ્થાન કર્યું હતું. તેમને સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા ફૂલહાર અને ઉપરણા ઓઢાડી અને વિદાય આપવામાં આવી હતી. તેમની આ ધાર્મિક યાત્રા ફળદાયી અને સુખદ બની રહે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMમેં પણ યુરીન પીધું છે: અનુ અગ્રવાલ
May 02, 2025 11:50 AMતારી સાથે લગ્ન કરી મારા પૈસા પડી ગયા કહી પતિએ પત્નીને ત્રણ ફડાકા મારી લીધા
May 02, 2025 11:50 AMપ્રોપર્ટી ગીરવે મૂકીને બડે મિયાં છોટે મિયાં બનાવી, ખર્ચો ય ન નીકળ્યો
May 02, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech