પાલીતાણાના હસ્તગીરી ડુંગરમાં લાગેલી આગ ૭૨થી પણ કલાક બાદ યથાવત રહી છે. ફાયર અને વન વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. પરંતુ તેમાં સફળતા મળી નથી એની આગ યથાવત રહી છે. પાલિતાણાના હસ્તગીરીના ડુંગરો છેલ્લા ૭૨થી પણ વધુ કલાકથી આગની ચપેટમાં છે. ઘટનાસ્થળે ફાયર વિભાગના વાહનો પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરે નહી તે માટે દેશી પદ્ધતીથી આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર ગત શનિવારની રાત્રિના આગ લાગી હતી. જે કાબુમાં આવ્યા બાદ રવિવારના બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પવનના કારણે ફરીથી આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈને પાલિતાણા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ડુંગરોની ખીણ વચ્ચે સુકાઘાસમાં આગ પ્રસરી હોવાથી ફાયર વિભાગના વાહનો ત્યાં પહોંચી શકે તેમ ન હતા. જો કે પાલિતાણા ફાયર વિભાગ અને વનવિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હોવાનું ડિઝાસ્ટર મામલતદાર ભાવનગર દ્વારા જણાવ્યુ હતું. જ્યારે આ વિસ્તારમાં નાના-મોટા પશુ-પંખીઓ અને વન્યજીવોની અવર-જવર હોવાથી અહીંની વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન થયું હોવાની સંભાવનાઓ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદમાં વરસાદની તોફાની બેટિંગ, ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
June 17, 2025 11:14 AMજસદણના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ
June 17, 2025 11:12 AMઅમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક અર્જુન પટોડિયાનો મૃતદેહ વડિયા પહોંચતા ગમગીની
June 17, 2025 11:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech