અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાએ સમગ્ર દેશમાંટે આધાતજનક બની છે ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ડીએને સેમ્પલથી મેચ કરી વહીવટી તંત્રની મદદ લઇ તેમના પરિવારજનોને સોપાવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લ ાના વડિયાના વતની એવા અર્જુનભાઈ પટોડિયાનો મૃતદેહ તેમના વતન વડિયા ખાતે વહીવટી તત્રં દ્રારા લાવી તેમના પરિવારને સોંપવામા આવ્યો હતો. આ સમયે તેમના પરિવારની દુ:ખની આ ઘડીમાં વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઐંધાડ, ડેપ્યુટી કલેકટર નંદા, ડિવાએસપી દેસાઈ, બગસરા મામલતદાર ભીંડી, વડિયા પીએસઆઇ ગાંગળા સહીત વડિયા મામલતદાર, ટીડીઓ અને પોલીસ સ્ટાફ સહીતનાએ પરિવારને શાંત્વના સાથે શ્રદ્ધાંજલી આપી હતી. વડિયાના કૃષ્ણપરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી મેઘસવારી વચ્ચે યોજાયેલી સ્મશાન યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઐંધાડ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને મૃતક અર્જુનભાઈને અશ્રુભરી આંખોએ અંતિમ વિદાઈ અપાઈ હતી.
આ તકે વડિયા ગ્રામપંચાયતની અપીલથી વડિયા ગામ પણ અડધો દિવસ બધં રહ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech