નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગરની જનતા માટે સિવિલ ડીફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન આગામી તા.૯ જુન થી તા.૧૩ જુન સુધી કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ આગામી તા.૮ જુન સુધીમાં સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીના સમય દરમિયાન લાલ બંગલા સ્થિત સિવિલ ડિફેન્સ કાર્યાલય ખાતે રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે ૦૨૮૮ ૨૫૪૦૩૭૧, સિવિલ ડિફેન્સ કાર્યાલય, લાલ બંગલો, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જાહેર જનતાને આપત્તિ સમયગાળામાં શું કરવું તે અંગે અસરકારક તાલીમ આપવામાં આવશે. જેમાં આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ પ્રક્રિયાઓ, આગથી બચાવ ઉપાયો, પ્રાથમિક સારવાર, રાહત અને પુન:સ્થાપન પ્રક્રિયા, આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે. તેમ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech