ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કદાચ પ્રથમ વખત આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક ગાંધીનગીમાં કમલમ ખાતે મળવા જઈ રહી છે. આ બૃહદ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લ ા મહાનગરના પ્રમુખ મહામંત્રી મોરચાના પદ અધિકારીઓ તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશના પગલે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેટલા મોઢા તેટલી વાત ચાલી રહી છે કોઈ આ બેઠકને મંત્રીમંડળના વિસ્તરણ સાથે સરખાવી રહ્યું છે તો પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાર્ટીલની આ બેઠક આખરી બની રહે તેનું અનુમાન પણ લગાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી તણ યુગ વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળશે આ બેઠકમાં ૧૪મી એપ્રિલે ડોકટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભાજપ દ્રારા રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સંવિધાન દિવસ નિમિત્તે ચર્ચા સત્ર પણ યોજાનાર છે.
આ સંવિધાન દિવસમાં કાયદા અંગે પણ એક જાગૃતિ અભિયાન શ કરવા જઈ રહ્યું છે આ સંદર્ભે રાષ્ટ્ર્રીય મહામંત્રી તણયુગ એક દિવસની ગુજરાતની મુલાકાતે છે જે રાષ્ટ્ર્રીય સ્તરે નક્કી થયેલા કાર્યક્રમની જાણકારી આપશે.આવતીકાલે ભાજપની મળનારી બૃહદ બેઠકને લઈને કેટ કેટલી અફવાઓનું બજાર એ જ બન્યું છે જેમાં કોઈ નવી જ બાબત બહાર આવે તેવું ચર્ચાય રહ્યું છે. આ સિવાય કોંગ્રેસ દ્રારા ૨૦૨૭ ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શ કરવામાં આવી છે તેને લઈને નવી રણનીતિ જાહેર કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech