BREAKING NEWS

જામનગર : નગરમાં આજે રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકશન કરશે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર

  • November 22, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તા. રર-૧૧-ર૦રપ ના જામનગર આવી રહ્યા છે. તેઓ અહિંના રેલવે સ્ટેશનમાં ઈન્સ્પેક્શન કરનાર છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા આજ તા. ર૦ ના મુંબઈ (બાન્દ્રા) થી રવાના થતી હમસફર ટ્રેન મારફત રવાના થશે અને માર્ગમાં વિન્ડો ઈન્સ્પેક્શન કરશે, અને અમદાવાદમાં રોકાણ કરશે, અને અમદાવાદથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન મારફત રાજકોટ આવશે, અને ત્યાંથી તા. રર ના જામનગર આવશે અને તા. રર ના રાત્રે બિલાસપર ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી મુંબઈ જવા રવાના થશે. જો કે, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સમયાંતરે રેલવેના ઈન્સ્પેકશન માટે આવતા રહે છે, પરંતુ તેઓનો કાર્યક્રમ ફક્ત રેલવે પરનો સિમીત રાખવામાં આવ્યો છે, પણ અખબાર મારફત યાદી પ્રસિદ્ધ કરી મીડિયા કે જાણકાર મુસાફરો સાથે મુલાકાત કરવાની તસ્દી લેવામાં આવતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application