વાહન પાર્કિંગના મામલે બધડાટી બોલી : ટોળા એકત્ર થતા વાતાવરણમાં તંગદીલી પ્રસરી : ગામમાં પોલીસ બંદોબસ્ત : ફરીયાદ માટે તજવીજ
શેઠવડાળા ગામમાં ગઇકાલે સાંજે વાહન પાર્કિંગના મામલે બધડાટી બોલી હતી જેમાં ધિંગાણુ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી, હાથાપાઇ અને હથિયારોથી હુમલો થતા ચારથી પાંચ વ્યકિતને નાની મોટી ઇજાઓ થતા અને બબાલના કારણે ટોળા એકત્ર થતા થોડો સમય વાતાવરણમાં તંગદીલી પ્રસરી ગઇ હતી દરમ્યાનમાં શેઠવડાળા પોલીસ અને જામનગરથી એલસીબી સહિતનો પોલીસ કાફલો તાકીદે દોડી ગયો હતો.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ગઇ સાંજે નજીવી બાબતમાં માથાકુટ થઇ હતી જેમાં દરબારની ઓફીસમાં બે ઇસમ ધસી ગયા હતા અને બોલાચાલી કરી હતી આ બબાલમાં તોડફોડ અને હાથાપાઇ થતા મામલો ઉગ્ર બન્યો હતો, સામા પક્ષે પણ પ્રહાર કરાયો હતો અને અથડામણ થયાની વાત પ્રસરી જતા બંને જુથના ટોળા એકત્ર થઇ ગયા હતા તેમજ શેઠવડાળા પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળે દોડી ગઇ હતી.
આ માથાકુટમાં તાલુકાના રાજકીય અગ્રણી મહિલાના પતિ સહિત 3ને ઇજા થતા જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં માથાકુટ અંગે ફરીયાદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જયારે સામા પક્ષે પણ ફરીયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech