પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયલના દક્ષિણ શહેરો પર રોકેટ છોડ્યા હતા, જેમાંથી મોટાભાગના રોકેટ ઇઝરાયલી સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા. હમાસે દાવો કર્યો હતો કે તેણે ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારના જવાબમાં આ હુમલો કર્યો હતો.તો બીજી તરફ ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે લગભગ 10 પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગનાને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા હતા. જોકે, ઇઝરાયેલી ચેનલએ દક્ષિણ શહેર એશ્કેલોનમાં સીધા હુમલાની જાણ કરી હતી, જેમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા.
ઇઝરાયલી ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે વધુ ટીમો મોકલવામાં આવી છે. હુમલા પછી તરત જ, ઇઝરાયેલી સૈન્યએ એક્સ પર એક નવો આદેશ જારી કર્યો, જેમાં મધ્ય ગાઝા પટ્ટીના દેઇર અલ-બલાહ શહેરના અનેક જિલ્લાઓના રહેવાસીઓને અગાઉ રોકેટ ફાયરિંગનો ઉલ્લેખ કરીને તેમના વિસ્તારો છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો.લશ્કરી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ હુમલા પહેલાની છેલ્લી ચેતવણી છે.' પાછળથી તેણે કહ્યું કે તેણે એક રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો જેણે અગાઉ ગાઝા પટ્ટીથી પ્રોજેક્ટાઇલ છોડ્યા હતા. દરમિયાન, ગાઝાના સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી લશ્કરી હુમલામાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે વોશિંગ્ટન જઈ રહ્યા હતા, તેમને તેમના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે રોકેટ હુમલાની જાણ કરી.તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેતન્યાહૂએ નિર્દેશ આપ્યો છે કે હુમલાનો કડક જવાબ આપવામાં આવે અને હમાસ વિરુદ્ધ ઇઝરાયલી સૈન્ય દ્વારા સતત સઘન કાર્યવાહીને મંજૂરી આપવામાં આવે.
હુમલામાં 12 ઘાયલ
ઇઝરાયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝાથી રોકેટ ફાયરિંગના પરિણામે ઓછામાં ઓછા 12 લોકોને નાની ઇજાઓ માટે સારવાર આપવામાં આવી હતી. ૧૫ મહિનાના યુદ્ધ પછી ૧૯ જાન્યુઆરીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો અમલમાં આવ્યો, જેમાં લડાઈ બંધ કરવી, હમાસ દ્વારા રાખવામાં આવેલા કેટલાક ઇઝરાયલી બંધકોની મુક્તિ અને કેટલાક પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે. જોકે, ૧૯ માર્ચે, ઇઝરાયલે કહ્યું કે તેના સૈનિકોએ મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં ભૂમિ કાર્યવાહી ફરી શરૂ કરી દીધી છે. યુદ્ધવિરામ વાટાઘાટોમાં મડાગાંઠ માટે બંને પક્ષોએ એકબીજાને દોષી ઠેરવ્યા.પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયલી હુમલાઓમાં 50,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech