BREAKING NEWS

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના મોટાભાઈ હરિકૃષ્ણભાઈ અમીનની 74 વર્ષની વયે ચિરવિદાય

  • October 09, 2025 07:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના મોટાભાઈ અને અમીન પરિવારના વડીલ હરિકૃષ્ણભાઈ હીરાલાલ અમીનનું ગઈકાલે બુધવારે 74 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર અમીન પરિવાર, સગાં-સંબંધીઓ અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.


હરિકૃષ્ણભાઈ અમીન તેમના લાગણીશીલ અને ધાર્મિક સ્વભાવ માટે જાણીતા હતા. તેમની સાલસ પ્રકૃતિને કારણે તેઓ સમાજમાં આગવું સ્થાન ધરાવતા હતા. તેમની ચિરવિદાયથી પરિવારજનો અત્યંત શોકમગ્ન છે.


​​​​​​​આવતીકાલે અમદાવાદ ખાતે બેસણું


સદ્દગત હરિકૃષ્ણભાઈ અમીનનું બેસણું આવતીકાલે 10 ઑક્ટોબર, શુક્રવારના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.

  • સ્થળ: સિંધુભવન હોલ, સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ.

  • સમય: સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News