ઉત્તરાખંડના ચમોલીમાં ભારે ભૂસ્ખલન થયાના સમાચાર સામે આવ્યા છે. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાતાલગંગા ટનલ પાસે ભૂસ્ખલન બાદ બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે.
બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લંગસી ટનલ પાસે એક પહાડ પરથી લગભગ 12:15 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. અહીં હાઈવે પર બનેલી ટનલનો ભાગ છે. સદ્નસીબે આ સમય દરમિયાન અહીં કોઈ વાહન આગળ વધી રહ્યું ન હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
જોશીમઠમાં બદ્રીનાથ હાઈવે ગઈકાલે સવારે 7 વાગ્યાથી બંધ છે. ગઈકાલે અહીં ભારે ભુસ્ખલનના કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. અત્યારે અહીં હાઈવે ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે. હાઇવે બંધ થવાને કારણે તમામ વાહનો ફસાયા હતા.
ત્રણ દિવસથી વરસાદ પડ્યો નથી છતાં પહાડો તૂટી રહ્યા છે. પાગલ નાલામાં જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે જૂનો ભૂસ્ખલન ઝોન છે. હજુ સુધી અહીંથી કાટમાળ હટાવવામાં આવ્યો નથી. જોશીમઠમાં હાઈવે તૂટી જવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો ત્યાં ફસાયેલા છે. આજે મતદાનને કારણે હોટલ અને દુકાનો પણ બંધ છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech