પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલની આરોગ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે તેને દેખાડો કરવા માટે થઇને અનેકવિધ નવા સુધારા-વધારા કર્યા હતા જેમાં નવા બનાવાયેલા પોસ્ટમોર્ટમ મ બહાર ચક્ષુદાન અને દેહદાનની જાગૃતિ માટેના બોર્ડ મૂકયા છે તેમાં પૂરતી તપાસ કર્યા વગર જે સંસ્થા પાસે સરકારમાન્ય આઇ-ડોનેશનનું કલેકશન સેન્ટર હાલમાં નથી તેના હોદ્ેદારોના મોબાઇલ નંબર મૂકવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે તેમાંના એક સેવાભાવી વ્યક્તિ તો અગાઉ મૃત્યુ પામ્યા છે તેમ છતાં તેના મોબાઇલ નંબર મુકીને ચક્ષુદાન-દેહદાન માટે તેમનો સંપર્ક સાધવા જણાવાયુ છે ત્યારે હોસ્પિટલના તંત્રની આ રેઢીયાળ નીતિ આશ્ર્ચર્ય જન્માવે તેવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી તેથી આ મુલાકાત સમયે હોસ્પિટલના અધિકારી ગૌરવ ભંભાણી સહિત ટીમે અનેકવિધ સુધારાવધારા કરીને દેખાડા કર્યા હતા જેમાં અમુક બાબતમાં હોસ્પિટલની રેઢીયાળ નીતિ સામે આવતા આરોગ્યમંત્રીએ તેમને ખખડાવ્યા હતા તો હવે બીજી બાજુ એવુ જાણવા મળ્યુ છે કે નવા પોસ્ટમોર્ટમ મ પાસે ચક્ષુદાન અને દેહદાન માટેના બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાંની માહિતી તદ્ન ખોટી છે.
સ્વજનનું મૃત્યુ દુ:ખદ હોય છે. મૃત્યુ પામનારને સાચી શ્રધ્ધાંજલિ આપવા તેની આંખોનું દાન આપી બે અંધવ્યક્તિઓને ફરી દ્રષ્ટિ આપો તેવા શીર્ષક હેઠળ ચક્ષુદાન અને દેહદાન આપવા માટે નેચરકલબ નામની સંસ્થાને સરકાર માન્ય આઇ-કલેશન સેન્ટર હોવાનું જણાવ્યુ છે. હકીકતે પોરબંદરમાં આ સંસ્થા અગાઉ ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃત્તિમાં ખૂબ વધુ સક્રિય હતી પરંતુ હાલમાં એવુ જાણવા મળ્યુ છે કે અત્યારે આઇ કલેકશન સેન્ટર નેચર કલબ પાસે નથી એટલુ નહીં પરંતુ બીજી ઘોર બેદરકારી એવી સામે આવી છે કે દેહદાન-ચક્ષુદાનના સંપર્કના નંબર મૂકવામાં આવ્યા છે તેમાં સાજણભાઇ ઓડેદરા નામના સેવાભાવી આગેવાન તો અગાઉ મૃત્યુ પામી ચૂકયા છે તેથી મૃત્યુ પામેલ વ્યક્તિ દેહદાન કે ચક્ષુદાન લેવા કઇ રીતે આવે? એટલું જ નહી પરંતુ ડો. નીતિન પોપટ નેચરકલબના સભ્ય પણ નથી ‘સર્જન’ પરિવાર દ્વારા તેઓ ચક્ષુદાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો બીજા સભ્યોના મોબાઇલ નંબર લખ્યા છે તેમાંથી અનેક પોરબંદરમાં રહેતા પણ નથી. કોઇ મૃત્યુ પામ્યુ હોય અને તેના સ્વજનો ચક્ષુદાન કરાવવા ઇચ્છતા હોઇ તો આ પ્રકારનું બોર્ડ જોઇને અને તેના મોબાઇલ નંબર વાંચીને સ્વાભાવિક રીતે ગેરમાર્ગે દોરાતા હોય છે. આરોગ્યમંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને જાહેરમાં ખખડાવીને ફરજભાનનું ઇન્જેકશન આપ્યુ હોવા છતાં આવી અનેક ક્ષતિઓ અને બેદરકારીઓ સામે આવી છે ત્યારે સ્વાભાવિક રીતે જ જરી બન્યુ છે કે પોરબંદરમાં ચક્ષુદાન માટેની વાસ્તવમાં પ્રવૃત્તિઓ કરતા હોય તેમની સંસ્થાના અને તેમના મોબાઇલ નંબર સાથેના બોર્ડ હોસ્પિટલે મૂકવા જોઇએ તે જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech