ધોરાજી : શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે ધોરાજીના અતિ પૌરાણિક અને ધોરાજીનું સૌપ્રથમ શિવલિંગ તરીકે ઓળખાતા જાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન, પૂજા, આરતી, અર્ચના તથા અભિષેક માટે ઉમટી રહ્યા છે.શ્રી જાળેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી લોકવાયકા મુજબ ધોરાજી તાલુકાના ભાદા જાળિયા ગામના એક કૂવામાંથી આ પવિત્ર શિવલિંગ મળી આવ્યું હતું. વેગળ પરિવાર દ્વારા આ શિવલિંગ પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખવામાં આવે છે. પરિવારના વડીલો દ્વારા શિવલિંગને ધોરાજીમાં સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તે સમયે શિવલિંગ લઈ જવાની પરવાનગી મળ્યા બાદજાળેશ્વર મહાદેવ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી શિવલિંગને ત્યાંથી ઉપાડી ધોરાજી લાવવામાં આવ્યું અને ધોરાજીના મેઇન બજાર વિસ્તારમાંજાળેશ્વર મહાદેવ મહાદેવની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવાય છે.આશરે બે ફૂટ જેટલું આ શિવલિંગ અત્યંત પવિત્ર અને પ્રાચીન માનવામાં આવે છે. મંદિર પરિસરમાં ગોમુખ, માતાજી તેમજ ભૈરવદાદાનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. જેના કારણે આ મંદિર સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.શ્રાવણ માસ દરમિયાન મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેરસના દિવસે વિશેષ રુદ્રાભિષેક યોજાય છે, જ્યારે અન્ય દિવસોમાં પણ નિયમિત રીતે પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે પૂજારી દીપકભાઈ દ્વારા અખંડ દીવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તો કોઈપણ જાતના ભેદભાવ વિના શ્રદ્ધાપૂર્વક સેવા, પૂજા અને અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠે છે અને શ્રાવણ માસ દરમિયાન ધોરાજીમાં શિવમય ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે.