સૌ.યુનિ.માં એનએસયુઆઈ અને છાત્ર સમિતિ દ્રારા હલ્લાબોલ: બે દિવસનું અલ્ટિમેટમ

  • April 26, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અંર્તગત હાલ લેવામાં આવતી વિવિધ વિધાશાખાની પરીક્ષા પૈકી બીસીએ–૪ની પરીક્ષાનાં સમય અગાઉ જ વોટસએપ મારફતે ૨૫ માર્કના પ્રશ્નો વિધાર્થીઓના વોટસએપ ગ્રુપમાં વાયરલ થતાં આ સમગ્ર ઘટના પેપર લીકની હોવાનું મલલૂમ પડે છે, ત્યારે આ ઘટનાને આજે ૬ દિવસ ઉપર થયા હોવા છતાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા હજુ સુધી કોઈ ઠોસ પગલા લેવામાં આવેલ નથી. આવી ગંભીર બાબતોને લઈને એનએસયુઆઈ–સીવાયએસએસ દ્રારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી. આવી ગંભીર બાબતોને લઈને એનએસયુઆઈ–સીવાયએસએસ દ્રારા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
આમ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા લેવામાં આવતી પરીક્ષઓમાં વારંવાર થતાં આવા છબરડાને લીધે વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતા પ્રસરી છે, તે ઉપરાંત યુનિવર્સિટીની શાખને પણ નુકસાન થાયર છે, ત્યારે છાત્ર સઘં એનએસયુઆઈ અને સીવાયએસએસના આગેવાનો દ્રારા સંયુકત માગ કરવામાં આવી કે બીસીએ પેપર લીક કાંડમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવે અને જે તે કોલેજનું નામ ખુલ્લ ે તેનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે અને તપાસ કરીને જવાબદારો ઉપર કડક પગલા લેવામાં આવે. આમ જો આ વિધાર્થી હિતલક્ષી માગને તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, એનએસયુઆઈ રાજકોટ પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, રીયાઝ સુમરા, સીવાયએસએસ રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી તેમજ આર્યન કનેરિયા, મયુર ખોખર, આર્યન સાવલિયા, કલાપી વારા, કેયુર દેસાઈ, યશ રામાણી, મુસઅતુ મેમણ, વિવેક ચાવડા, અમન અન્સારી, સૈફત્પભાઈ, વિજય સાગઠિયા, શિતલ ગોહેલ, રાજલ ગઢવી, દીગુભા વાઘેલા વગેરે એનએસયુઆઈ–સીવાયએસએસના વિધાર્થી આગેવાનો હાજર રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application