માનવ શરીરમાં પ્રાણીઓના અંગોના પ્રત્યારોપણના પ્રયોગો વચ્ચે, યુએસ રેગ્યુલેટરી બોડી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ડુક્કરના લીવરનો ઉપયોગ કરીને માનવોની સારવારના ટ્રાયલને મંજૂરી આપી છે. હવે એક અભ્યાસ શરૂ કરવામાં આવશે. જીન એડીટેડ ડુક્કરના લીવરનો ઉપયોગ એવા લોકોની સારવાર માટે થઈ શકે છે જેમનું લીવર અચાનક ફેલ ગયું છે. જીન એડીટેડ ડુક્કર બનાવતી અમેરિકન કંપની ઈજેનેસીસએ તેની ભાગીદાર બ્રિટિશ કંપની ઓર્ગનએક્સ સાથે ટૂંક સમયમાં આ ટ્રાયલ શરૂ કરવની જાહેરાત કરી છે.
ટ્રાયલમાં ફક્ત જીન એડીટેડ ડુક્કરના લીવરનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રાયલ દરમિયાન, જે દર્દીઓના લીવર અચાનક કામ કરવાનું બંધ કરી દે છે તેમના લોહીને ડુક્કરના લીવર દ્વારા કામચલાઉ ફિલ્ટર કરવામાં આવશે. ટ્રાયલમાં, સંશોધકો ડુક્કરના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ નહીં કરે પરંતુ તેને બહારથી જોડી દેશે.
ઈજેનેસીસના સીઈઓ માઈક કર્ટિસે જણાવ્યું હતું કે ચાર મૃતદેહો પર કરવામાં આવેલા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે ડુક્કરનું લીવર માનવ લીવરને બે થી ત્રણ દિવસ સુધી કેટલાક કાર્યો કરવામાં મદદ કરી શકે છે. અમેરિકામાં દર વર્ષે લગભગ 35,000 લોકો લીવર ફેલ્યોરનો ભોગ બને છે. સારવારના વિકલ્પો મર્યાદિત છે. આવા કિસ્સાઓમાં મૃત્યુદર 50 ટકા સુધીનો હોય છે.
ટ્રાયલ માટે, ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરાયેલા 20 દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે જેઓ ટ્રાન્સપ્લાન્ટ માટે લાયક ન હોવાનું જણાયું હતું. એક ઉપકરણ દ્વારા, આ દર્દીઓનું લોહી ડુક્કરના લીવર દ્વારા પમ્પ કરવામાં આવશે. જનીન-સંપાદિત ડુક્કરના અંગોનો ઉપયોગ કરીને માનવ જીવન બચાવવાનો આ એક નવો પ્રયાસ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં આંબેડકર જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજાયું
May 02, 2025 11:26 AMદંપતિ વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી
May 02, 2025 11:23 AMજામનગરના સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ-બોર્ડ વગેરે દૂર કરાયા
May 02, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech