ધારીના નવાગામમાં યુવકે અને સાવરકુંડલામાં પરિણીતાએ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો જયારે બાબરામાં સગીરાએ ફાંસો કાંઈ આયુખું ટૂંકાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. તેમજ અમરેલીમાં પ્રૌઢએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ ધારીના નવાગામની સીમમાં આવેલી બાબુભાઇ મનુભાઇ કોઠીયાની વાડીમાં ખેત મજૂરી કામ કરતા રૂતેશ મનસુખભાઇ ચારોલીયા (ઉ.વ.૨૫) નામના યુવકે ગત તા.3ના રાત્રીના વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ ધારી બાદ અમરેલી ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ધારી પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવક અને તેની પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઝગડો થતો હોવાથી પત્ની રિસામણે માવતરના ઘરે ચાલી જતા આ વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધું હતું. યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બીજા બનાવમાં સાવરકુંડલા નવી મસ્જિદ પાસે મણિનગરમાં રહેતી ઇલાબેન નરેશભાઈ કાંગસીયા (ઉ.વ. ૩૦) નામની પરિણીતા ગઈકાલે સાંજે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા ઉલ્ટી ઉબકા થવા લાગતા પરિવારજનોએ પૂછતાં ઝેરી દવા પીઘી હોવાનું જણાવતા તાકીદે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ સાવરકુંડલા પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
ત્રીજા બનાવમાં બાબરા કરીયાણા રોડ પર રહેતી હિરલ ભનુભાઇ ધુંધરવા (ઉ.વ.૧૭) નામની સગીરા ગઈકાલે ઘરે એકલી હતી ત્યારે પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે બાબરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઈની એકની એક બહેન હતી. પિતા ભનુભાઇ મજૂરી કામ કરે છે. ભનુભાઈના મોટા પુત્રનું એક્સીડેન્ટ થતા પત્ની અને બે પુત્રો ભાવનગર હોસ્પિટલએ હતા જયારે ભનુભાઇ સાઈટ જોવા ગયા હતા ત્યારે પાછળની પુત્રીએ પગલું ભરી લીધું હતું. સગીરાના આપઘાત કરવા પાછળનું કારણ પરિવાર પણ જાણતો ન હોય પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવમાં અમરેલી લાઠી રોડ પર યશોદાનગરમાં રહેતા સામતભાઈ ટપુભાઈ ભુવા (ઉ.વ.૬૨) નામના પ્રૌઢએ પોતાના વતન વરસડા ગામેં આવેલા ઘરે ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. સામતભાઈના બહેનના લગ્ન આશરે નવેક દિવસ પહેલા હિરાણા ગામમા રહેતા યોગેશભાઇ સાથે ફુલહાર કરી કર્યા હતા અને બહેનના બીજા લગ્ન હોય અને તે પણ ફુલહારથી થતા તેનું મનમા લાગી પગલું ભર્યાનું લાગી રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech