આ અંગેની હકીકત મુજબ, શહેરમાં હાલ પતિથી અલગ રહેતી પૂજાબેનના લગ્ન પ્રશાંત વાલજી ડાભી રેલવે કર્મચારી સાથે 7/ 2/ 18 ના રોજ થયા હતા. બાદ લગ્ન જીવનના થોડા સમયથી જ પરિણીતાને પતિ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવા બાબતે બંને પરિવારજનો દ્વારા સમાધાન પણ કરી પરિણીતા પોતાના સાસરીયામાં રહેતી હતી, આમ છતાં પણ પતિના વાણી વ્યવહાર વર્તનમાં કોઈ પણ જાતનો ફેરફાર પરિણીતા ફરી પોતાના પિયર રિસામણે ચાલી ગઈ હતી, તેમાં પરિણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં ભરણપોષણની માંગ કરતી અરજી કરી હતી. ભરણ પોષણની અરજી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ પરિણીતાના એડવોકેટ અમિત ગડારા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં હકીકતો રેર્કડ ઉપર આવેલ કે, સાસરીયા પક્ષે પરીણીતાને માનસીક દુઃખ ત્રાસ આપેલ હતો, તેથી ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, પત્નીનો વિના કારણે ત્યાગ કરેલ હોય તેથી કાયદાકીય જોગવાઈઓ મુજબ ભરણપોષણ આપવાની પતિની કાયદેસરની જવાબદારી બને છે. જેથી અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણપોષણની રકમ મંજુર કરવા રજુઆતો કરવામાં આવી હતી. પરિણીતાના એડવોકેટ અમીત ગડારાની દલીલો ગ્રાહય રાખી ફેમિલી કોર્ટે પરિણીતાની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે પત્નીને માસિક રકમ રૂ.૨૦ હજાર અરજીની તારીખથી ચુકવી આપવી અને અરજીખર્ચના રૂ.૨૫૦૦ ચુકવવા તેવો હુકમ કર્યો છે. રૂપિયા 20 હજાર અરજીની તારીખથી ચૂકવવાના હોવાથી પરિણીતા પુજાબેન ડાભી તેમના પતિ પાસેથી 21 માસની ચડત રકમ એટલે કે રૂપિયા 4.20 લાખ એરિયર્સ પેટે મેળવવા હક્કદાર બન્યા છે. આ કેસમાં અરજદાર પરિણીતા વતી એડવોકેટ તરીકે અમિત વી.ગડારા, યશ વૈષ્ણવ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech