ત્રાસને કારણે રિસામણે બેઠેલી પત્નીને 20 હજાર ભરણપોષણનો પતિને હુકમ

  • April 15, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં રેલવે કર્મચારી પતિના શારીરિક માનસિક ત્રાસના કારણે રિસામણે રહેલી પરિણીતાની પોતાનું જીવન નિર્વાહ ચલાવવા ભરણ પોષણ મેળવવા માટેના પોણા બે વર્ષ પહેલાના કેસમાં અદાલતે માસિક ₹ 20 હજાર ભરણપોષણ ચૂકવવા અદાલતે પતિને હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, શહેરમાં હાલ પતિથી અલગ રહેતી પૂજાબેનના લગ્ન પ્રશાંત વાલજી ડાભી રેલવે કર્મચારી સાથે 7/ 2/ 18 ના રોજ થયા હતા. બાદ લગ્ન જીવનના થોડા સમયથી જ પરિણીતાને પતિ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવા બાબતે બંને પરિવારજનો દ્વારા સમાધાન પણ કરી પરિણીતા પોતાના સાસરીયામાં રહેતી હતી, આમ છતાં પણ પતિના વાણી વ્યવહાર વર્તનમાં કોઈ પણ જાતનો ફેરફાર પરિણીતા ફરી પોતાના પિયર રિસામણે ચાલી ગઈ હતી, તેમાં પરિણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં ભરણપોષણની માંગ કરતી અરજી કરી હતી. ભરણ પોષણની અરજી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ પરિણીતાના એડવોકેટ અમિત ગડારા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં હકીકતો રેર્કડ ઉપર આવેલ કે, સાસરીયા પક્ષે પરીણીતાને માનસીક દુઃખ ત્રાસ આપેલ હતો, તેથી ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, પત્નીનો વિના કારણે ત્યાગ કરેલ હોય તેથી કાયદાકીય જોગવાઈઓ મુજબ ભરણપોષણ આપવાની પતિની કાયદેસરની જવાબદારી બને છે. જેથી અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણપોષણની રકમ મંજુર કરવા રજુઆતો કરવામાં આવી હતી. પરિણીતાના એડવોકેટ અમીત ગડારાની દલીલો ગ્રાહય રાખી ફેમિલી કોર્ટે પરિણીતાની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે પત્નીને માસિક રકમ રૂ.૨૦ હજાર અરજીની તારીખથી ચુકવી આપવી અને અરજીખર્ચના રૂ.૨૫૦૦ ચુકવવા તેવો હુકમ કર્યો છે. રૂપિયા 20 હજાર અરજીની તારીખથી ચૂકવવાના હોવાથી પરિણીતા પુજાબેન ડાભી તેમના પતિ પાસેથી 21 માસની ચડત રકમ એટલે કે રૂપિયા 4.20 લાખ એરિયર્સ પેટે મેળવવા હક્કદાર બન્યા છે. આ કેસમાં અરજદાર પરિણીતા વતી એડવોકેટ તરીકે અમિત વી.ગડારા, યશ વૈષ્ણવ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application