ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલા પતિને ૩૩૦ દિવસનો જેલવાસ

  • April 28, 2025 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પત્નીએ પોતાના પતિના શારીરીક અને માનસિક ત્રાસ થી કંટાળી તેમજ પત્નીને તેનો પતિ ભરણપોષણ કરતો ન હોય જેથી ભાવનગર ફેમેલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરેલ જે કેસ ચાલી જતા ભાવનગર ફેમેલી કોર્ટ અરજદાર અને તેની પુત્રીને માસિક રૂ.૭૦૦૦ ચૂકવવાનો તેના પતિને આદેશ કર્યો હતો. જેમાં પતિએ ભરણપોષણની રીકવરીની રકમ રૂા.૧,૫૫,૦૦૦ નહી ચુકવતા ભાવનગર ફેમેલી કોર્ટે પતિને ૩૩૦ દિવસની કેદની સજા ફટકારી હતી.
 પિયર મોટા શીતળા માં ના મંદિર પાછળ, ઘનશ્યામ પ્રાથમિક શાળા પાસે, શિવનગર, ભાવનગરમાં રહેતા અરજદાર જાગૃતિબેનના  લગ્ન ૭ વર્ષ પૂર્વે મુનાભાઈ દાનાભાઈ ચુડાસમા, (રહે. - હાથબ, તા.જી.ભાવનગર) સાથે થયા હતા લગ્ન દરમ્યાન તેઓને ૫ પાંચ વર્ષની પુત્રી છે લગ્ન જીવન દરમ્યાન તેણીનો પતિ  મુનાભાઈએ તેણીને શારીરીક માનસિક ત્રાસ આપેલ તેમજ ભરણપોષણ નહી કરતા તેણીએ પોતાનું તથા પોતાની પુત્રીનું ભરણપોષણ મેળવવા માટે ભાવનગરના ફેમેલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે ભરણપોષણની અરજી દાખલ કરેલ જેમાં ભાવનગર ફેમેલી કોર્ટે  પતિને માસિક રૂા.૭૦૦૦ ચુકવવાનો હુકમ કર્યો હતો.  ત્યારબાદ આ કામના અરજદાર પત્નીએ ભરણપોષણની રીકવરીની રકમ રૂા.૧,૫૫,૦૦૦ વસુલ કરવા માટે  મુનાભાઈ દાનાભાઈ ચુડાસમા સામે ભાવનગરની  ફેમેલી કોર્ટમાં ભરણપોષણની રીકવરી મેળવવા  અરજી દાખલ કરી હતી. જે અંગે ફેમિલી કોર્ટે   પતિ મુનાભાઈ દાનાભાઈ ચુડાસમાને ભાવનગર ફેમેલી કોર્ટે ૩૩૦ દિવસની સજા ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application