ધાણાભાજી એક એવી વસ્તુ છે જેનો ય્પ્યોગ ન થાય તો ખોરાકમાં સ્વાદ અધૂરો રહે છે. જો ધાણાભાજીને દાળ, શાક, રાયતા કે સલાડ પર ગાર્નીશ કરવામાં આવે તો તે જે સુગંધ, રંગ અને સ્વાદ લાવે છે તેની કોઈ તુલના થઇ શકે એમ નથી. આ જ કારણ છે કે લોકો તેમના રસોડામાં વધુ માત્રામાં ધાણાભાજીનો સંગ્રહ કરે છે. જોકે, તેની સૌથી મોટી સમસ્યા સ્ટોર કરવાની જ છે. વાસ્તવમાં ધાણાભાજી ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે, જો તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો પણ તે બે થી ત્રણ દિવસમાં સુકાઈ જાય છે. તેથી, તેનો સંગ્રહ હંમેશા એક મોટી સમસ્યા રહે છે. ત્યારે તમારે આ ઉકેલ જાણવો જોઈએ. જેની મદદથી ધાણાભાજી(કોથમીર)ને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકશો.
ધાણાભાજી(કોથમીર)ના પાન ખરાબ નહીં થાય
1. કોથમીરના પાનને લાંબા સમય સુધી તાજા રાખવા માટે, તેને સારી રીતે ધોઈ લો અને સૂકાવા દો. હવે કોથમીરના પાનને ટીશ્યુ પેપરમાં લપેટીને એર ટાઇટ કન્ટેનરમાં મુકો અને ફ્રીજમાં રાખો. આના કારણે તે લાંબા સમય સુધી બગડશે નહીં અને સુકાશે પણ નહીં.
2. ઝિપ લોક પ્લાસ્ટિક બેગની મદદથી ધાણાને વધુ દિવસો સુધી સંગ્રહિત કરી શકો છો. આ માટે કોથમીરના પાનને ધોઈને સુકવી નાખો. હવે આ પાંદડાઓને ટીશ્યુ પેપરમાં લપેટીને પ્લાસ્ટિક બેગમાં મૂકો અને પછી બેગને ઝિપ લોક કરીને ફ્રીજમાં રાખો.
3. કોથમીરના પાનનો સંગ્રહ કરવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે. ગ્લાસમાં પાણી ભરો. આ પાણીમાં કોથમીરના પાન અને તેના મૂળ નાખો. જો મૂળ પાણીમાં રહે તો પાંદડા બગડશે નહીં અને તાજા રહેશે.
4. કોથમીરના પાનને ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ લાંબા સમય સુધી તાજા રાખી શકો છો. કોથમીર ધોઈને બારીક સમારી લો. હવે સમારેલી કોથમીરને પ્લાસ્ટિકના બોક્સમાં ભરીને ફ્રીઝરમાં મૂકો. આનાથી ધાણાના પાન ઘણા દિવસો સુધી તાજા અને લીલા રહેશે.
5. કોથમીરના પાન ધોઈને સૂકવી લો. હવે તેને બારીક કાપી લો અને બે દિવસ માટે પ્લેટમાં મૂકી રાખો અને છાયામાં સૂકવી દો. સુકાઈ ગયા પછી કોથમીરના પાનનો પાવડર તૈયાર કરો. એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને ઉપયોગ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMબનારસ, ગૌહાટી, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આગ્રાફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશને ઉભી રહેશે
June 16, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech