થાનગઢમાં ફૂલવાડી વિસ્તારમાં રહેતા યુવાન સો સસરાએ ઝઘડો કરી ઉશ્કેરાઈ જઇ તેને ગળાનાભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ,થાનગઢમાં ફૂલવાળી વાસુકી પ્લોટ વિસ્તારમાં ભગવતી શેરીમાં રહેતા વિશાલ લાલજીભાઈ કમેજળિયા(ઉ.વ ૨૩) નામના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સનિક પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ,યુવાનને ગઈકાલે બપોરના સમયે તેના સસરા ભરતભાઈ સો કોઈ બાબતે બોલાચાલી ઈ હતી બાદમાં વાત ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો યો હતો. ત્યારબાદ સસરા ઉશ્કેરાઈ જમાઈને ગળાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જેમાં યુવાનને ઇજા પહોંચતા અહીં સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં પોરબંદરના ખાપટ ગામે રહેતા મનજીભાઈ વાલાભાઈ સોલંકી(ઉ.વ ૭૦) નામના વૃદ્ધ પર રાત્રિના નરશી અને કિશોર નામના શખસે મળી લાકડી વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં વૃદ્ધને મૂંઢમાર સહિતની ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે અહીં રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્ટ 3 માં બાજીરાવ સિંઘમનો લુક ફેન્સ માટે ચોંકાવનારો, શૂટિંગની તસવીરો થઈ લીક
May 19, 2024 11:56 PMચહેરા પર બરફ લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તો જ મળશે પૂરો ફાયદો
May 19, 2024 11:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech