પોરબંદરના બરડા પંથકના ગામડાઓમાંથી પસાર થતી વર્તુ નદીના પાણીને લીધે જમીન અને લોકોની મિલ્કતને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ વિસ્તારમાં થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું કે પોરબંદરના બરડા પંથકના ગામડાઓ સોઢાણાથી ફટાણાથી શીંગડા સીમને જોડતા વર્તુ નદીનો કાંઠાળ વિસ્તારનો રસ્તો ભયંકર નુકશાન પામ્યો છે જેના કારણે વાહન ચલાવવામાં પણ જાનનું જોખમ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તો ફટાણાના વિસ્તારમાં અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું છે અને ખેતરોમાં પાકને નુકસાન થયું છે તેથી રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈને વહેલી તકે સર્વે કરાવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech