વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-ચીન સરહદ વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે બંને પાડોશી દેશો વચ્ચેના મુદ્દાનો ઉકેલ બંનેએ શોધવો પડશે. જાપાનની રાજધાની ટોક્યોમાં પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે ઘણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે કહ્યું, ભારત અને ચીન વચ્ચેના વાસ્તવિક મુદ્દાને ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ જોઈ રહ્યા નથી. એસ જયશંકર હાલ ક્વાડ જૂથના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ટોક્યો ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથે ભારતના સંબંધો સારા નથી.
એસ જયશંકરે કહ્યું, અમારી વચ્ચે સમસ્યા છે, અથવા હું કહેવા માંગુ છું કે ભારત અને ચીન વચ્ચે સમસ્યા છે. મને લાગે છે કે અમારે બંનેએ તેના વિશે વાત કરવી જોઈએ અને ઉકેલ શોધવો જોઈએ. તેમણે આ મહિને બે વખત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની તેમની બેઠકોને પણ યાદ કરી. વિદેશ મંત્રીએ કહ્યું, સ્વાભાવિક છે કે વિશ્વના અન્ય દેશો પણ આ મામલે રસ લેશે, કારણ કે અમે બે મોટા દેશ છીએ. આપણા સંબંધોની સ્થિતિની અસર બાકીના વિશ્વ પર પડે છે. પરંતુ, અમે અમારી વચ્ચેના વાસ્તવિક મુદ્દાને ઉકેલવા માટે અન્ય દેશો તરફ જોઈ રહ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech