પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે વધુ કડક કાર્યવાહી કરી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક કલાક ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ભારતે પાકિસ્તાન માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ નિર્ણય અનુસાર, પાકિસ્તાનની કોઈપણ ફ્લાઈટ આગામી 23 મે સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઉડી શકશે નહીં.
વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં દેશની સુરક્ષા સ્થિતિ અને પાકિસ્તાન તરફથી વધી રહેલા તણાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે એરસ્પેસ બંધ કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતના આ પગલાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા છે, જેમાં સિંધુ જળ સંધિ પર રોક અને પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ પણ સામેલ છે. હવે એરસ્પેસ બંધ કરવાના આ નિર્ણયથી પાકિસ્તાન પર વધુ દબાણ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબની કેટરિનાથી ફેમસ શહેનાઝ ગિલે ખરીદી મોંઘીદાટ કાર
May 01, 2025 11:39 AMદીપિકા-કેટરીના જ નહીં, રણબીર કપૂર અમીષાને પણ ડેટ કરતો
May 01, 2025 11:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech