પાકિસ્તાને ભારતીય કાર્ગેા જહાજ એએલપીરાનીપીરના ૧૨ સભ્યોના ક્રૂને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. પાકિસ્તાન મેરીટાઇમ સિકયોરિટી એજન્સીએ જણાવ્યું હતું કે મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરની મદદની વિનંતી પર બચાવ અભિયાન શ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન મેરીટાઇમ સેટી એજન્સીએ મેરીટાઇમ રેસ્કયુ ઓપરેશનનું સફળતાપૂર્વક સંકલન કયુ હતું. ભારતીય કાર્ગેા જહાજમાં કોઈ ખામી સર્જાતા પીરાનીપીર ડૂબી જવા પામ્યું હતું અને તેમાં ફસાયેલા ૧૨ લોકોને જીવિત બચાવી લેવાયા હતા. મરીન રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરને ભારતના મુંબઈ મેરીટાઇમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી ઈમેલ મળ્યો હતો. તેણે ડૂબી ગયેલા જહાજમાંથી બચી ગયેલા લોકોને શોધવા અને બચાવવા માટે મદદની વિનંતી કરી જેના પગલે પાક નૌકાદળ સતર્ક બન્યું હતું અને મદદે દોડી ગયું હતું.
પાકિસ્તાનના એકસકલુઝિવ ઈકોનોમિક ઝોનમાં આ જહાજ ડૂબી ગયું અને તેના ૧૨ ક્રૂ મેમ્બર્સ તકલીફમાં ફસાઈ ગયા. તેના જવાબમાં પાકિસ્તાન મેરીટાઇમ એજન્સીએ અનેક એજન્સીઓ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પીએમએસએ જહાજને તરત જ બચી ગયેલા લોકોને શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. યારે નજીકના વેપારી જહાજોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને બચાવ કાર્યમાં મદદ કરવા વિનંતી કરી હતી.
જોઈન્ટ મેરીટાઇમ ઈન્ફોર્મેશન કોઓર્ડિનેશન સેન્ટરે નજીકના નૌકાદળના જહાજને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી દીધું હતું અને આ સિવાય બચી ગયેલા લોકોને પરત લાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજને એકસકલુઝિવ ઈકોનોમિક ઝોનમાં પ્રવેશવા માટે જરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
તમામ ૧૨ લોકો સુરક્ષિત
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનાની તત્કાલ જાણ થઈ જતા અસરકારક સંકલનના પરિણામે, ભારતીય કાર્ગેા જહાજ પર સવાર તમામ ૧૨ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મુંબઈ મોકલવા વ્યવસ્થા કરી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech