જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું
જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું
November 03, 2025 06:18 AM
રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઉપરાંત મંત્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતાં. દ્વારકા મંદિર ખાતે પ્રાંત અધિકારી અમોલ આવતે અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ દ્વારા મંત્રીને દ્વારકાધીશની છબી આપી આવકાર્યા હતા.આ વેળાએ અગ્રણી રમેશભાઈ હેરમા, ભરતભાઈ ગોજિયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.